Friday, February 20, 2026
Homeલાઇફસ્ટાઇલદેશમાં આગામી વસતીગણતરી માટે કેન્દ્રીય મંત્રિમંડળની મોટીઘોષણા

દેશમાં આગામી વસતીગણતરી માટે કેન્દ્રીય મંત્રિમંડળની મોટીઘોષણા

ભારતમાં આગામી વસતીગણતરી સંબંધિત શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસતીગણતરી માટે રૂ. 11,718 કરોડના વિશાળ બજેટને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા અનુસાર, આ વસતીગણતરી બે તબક્કામાં હાથ ધરાશે.

પ્રથમ તબક્કો (ઘરગથ્થું યાદી): એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે કરવામાં આવશે.

બીજો તબક્કો (મુખ્ય વસતીગણતરી): ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વસતીગણતરીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી વધુ સચોટ અને ઝડપી માહિતી પ્રાપ્ત થઈ શકે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments