Friday, January 30, 2026
HomeRajkotસિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો: જુનિયર ડોક્ટરોની હડતાલ, સારવાર વ્યવસ્થા પર અસર

સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો: જુનિયર ડોક્ટરોની હડતાલ, સારવાર વ્યવસ્થા પર અસર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન ડૉ. પાર્થ પંડ્યા ઉપર થયેલા હુમલાના કેસમાં જુનિયર ડોક્ટર એસોસિએશને હડતાલની જાહેરાત કરી છે. હડતાલના પગલે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો માત્ર ઇમરજન્સી વિભાગમાં જ ફરજ બજાવશે, જ્યારે અન્ય વિભાગોની સેવાઓ સ્થગિત રહેશે.
ડોક્ટરો દ્વારા આરોપી જયદીપ ચાવડાનું ઘટનાસ્થળ પર રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માગ ઉઠાવવામાં આવી છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ બને. આ દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે 29 ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલમાં આ મારામારીની ઘટના બની હતી. ઘટનાને પગલે ડોક્ટરોમાં રોષ ફેલાયો છે અને હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments