Homeગુજરાતઅમદાવાદ: રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ નહીં ખવડાવી શકો

અમદાવાદ: રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ નહીં ખવડાવી શકો

અમદાવાદ: રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ નહીં ખવડાવી શકો. રખડતાં શ્વાનને કોઈપણ જગ્યાએ ખવડાવશો તો દંડ થશે. CNCD વિભાગનો શ્વાનના આતંક અંગે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સુપ્રીમ અને હાઈકોર્ટની ગાઈડલાઈન દ્વારા નવો નિયમ બનાવાયો છે. જુદા-જુદા 126 સ્પોટ ઓળખી ડોગ ફીડીંગ અંગે જાહેરાત કરાશે. 126 ડોગ ફીડીંગ સેન્ટર પર શ્વાનને ખવડાવવામાં આવશે. કડક અમલવારી માટે લોકોને જાગૃત કરી નિયમની જાહેરાત કરાશે.

મહત્વનું છે કે રખડતાં શ્વાનના આતંકના દ્રશ્યો સામે આવતાં હોય છે. ત્યારે હવેથી લોકો શ્વાનને કોઈ પણ જગ્યાએ ન ખવડાવે તે માટે નવો નિયમ CNCD વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. રાહદારીઓ પર ઘણીવાર શ્વાન હુમલો કરતાં હોય છે. ત્યારે શ્વાનનો આતંક ઘટાડવા માટે શહેરના જુદા-જુદા 126 સ્પોટ ઓળખીને તે જ જગ્યાએ શ્વાનને ખવડાવવામાં આવે તેવા પ્રકારનું આયોજન કરાશે. હાલ આ નિયમ અંગે લોકોને જાગૃત કર્યા બાદ. કડક અમલવારી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments