ચોટીલા – સાયલા નેશનલ હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક રાત્રીના ખાનગી ટ્રાવેલ્સની બસ આગળ જતા ટેન્કર સાથે અથડાતા વાહનોમાં આંગ લાગી જતા બસ ચાર વ્યક્તિ જીવતા સળગી ભૂંઝાતા મરણ નિપજ્યાં છે. તેમજ દસ જેટલા લોકો દાઝી જતા નાની મોટી ઇજા પહોંચી છે.
અકસ્માત અંગે પ્રાથમિક વિગતો મુજબ ગત મોડી રાત્રે ચોટીલા નજદીક આવેલા સાંગાણી ગામના પાટીયા પાસે ટેન્કરનું ટાયર ફૂટવાથી પાછળ આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાતા શોર્ટ સર્કિટ થવાના કારણે ટ્રાવેલ્સમાં આગ લાગતા અફડા તફડી મચેલ હતી અને જોત જોતામાં આંગ એ ભયંકર સ્વરૂપ પકડતા દસ જેટલી વ્યક્તિને નાની મોટી ઇજા પહોંચેલ હતી જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ગંભીર રીતે દાઝી જવાથી 4 (ચાર) વ્યક્તિ ના મૃત્યુ નિપજ્યાં છે. અન્ય મુસાફરોને બચાવી લેવાયા હતા.
ગંભીર અકસ્માતની જાણ થતા ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી મકવાણા, ચોટીલા પોલીસ સહિતના ઘટના સ્થળે દોડી ગયેલ હતા તાત્કાલિક ચોટીલા – થાન ફાયર ફાઈટર બોલાવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ મરણ જનારના મૃતદેહ ને પી. એમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. મૃતકની ઓળખ મેળવવા માટે ડીએનએ કરવા પડશે તેવું પ્રાથમીક અનુમાન છે.
સ્થાનિક તંત્રના જણાવ્યાં મુજબ ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી ખાનગી બસ અથડાયાનું અનુમાન છે. તેમજ ટેન્કર અંદર ડામર જેવું કેમિકલ ભરેલ હોવાની વિગતો જાણવા મળી રહેલ છે.

