રાજકોટમાં લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનવાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી આ પદયાત્રા યોજાઈ છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાણાની આગેવાનીમાં યોજાયેલી આ પદયાત્રા ગોંડલ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળથી શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા રાજકોટથી કાગવડ સુધી જશે, જેમાં એક હજારથી વધુ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા 26, 27 અને 28 તારીખે યોજાશે. અંતે કાગવડ ખાતે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પદયાત્રા દરમિયાન સરદાર પટેલના વિચારો, સ્વદેશી ભાવના અને આત્મનિર્ભર ભારતના સંદેશને પ્રસારિત કરવામાં આવશે.
