સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રે અચાનક આત્મઘાતી પગલું ભરી લેતા પરિવારમાં અરેરાટી ; આપઘાતનું કારણ અકબંધ
રાજકોટ શહેરના ભૂતખાના ચોકમાં આવેલી હોટલ આર.આર.ના રૂમમાં નિવૃત્ત એસ.આર. પી. મેનના પુત્રએ આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઘરકંકાસના કારણે મોરબીથી રાજકોટ આવી પરિણીત યુવાને હોટલમાં પંખા સાથે દોરડું બાંધી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નિવૃત્ત SRP જવાન મુળજીભાઈ ચૌહાણના પુત્ર હર્ષદ ચૌહાણ આજે બપોરના સમયે ઘરેથી નીકળી રાજકોટ આવી ભૂતખાના ચોક સ્થિત હોટલ આર.આર.માં રોકાયો હતા અને બાદમાં પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી.
ઘરકંકાસને કારણે ઘરેથી નીકળી ગયા હોવાથી ઘરના સભ્યો મૃતક યુવાનની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવકનું મોટરસાઇકલ ભૂતખાના ચોક ખાતે દેખાતા હોટલમાં સંપર્ક અને તપાસ કરી હતી.
Read About Weather here
તપાસ કરતાં યુવક હોટલ રૂમમાં હોવાનું માલૂમ થતાં રૂમ ખખડાવવા છતાં ખોલવામાં ન આવતાં રૂમની ગેલરીમાંથી પ્રવેશ કરી જોતા યુવક પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો, જેની જાણ થતા ભક્તિનગર પોલીસસ્ટાફ સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here