મનપાની તમામ વોર્ડ ઓફિસમાં જન્મ-મરણના દાખલાની કામગીરી આજથી શરૂ

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

દિવસમાં બે કલાક પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરાશે

રાજકોટ મનપાનાં જુદા-જુદા કામો માટે નગરજનોને મુખ્ય કચેરી સુધી આવવું ન પડે તે માટે ઘણા વર્ષોથી ત્રણ ઝોન કચેરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મિલકત વેરો ભરવા, લાયસન્સ મેળવા તેમજ વિસ્તારની કોઈપણ ફરિયાદ હોય તે તમામ સુવિધા વોર્ડ ઓફિસોમાં શરૂ કરવામાં આવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

તે જ રીતે મનપાનાં જન્મ-મરણ વિભાગની સેવાઓ પણ શહેરીજનોને પોતાના વિસ્તારમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. તેથી શહેરની તમામ વોર્ડ ઓફિસોની તમામ વોર્ડ ઓફિસોમાં આજથી જન્મ-મરણનાં પ્રમાણપત્રની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વોર્ડ ઓફિસે સવારે 10 થી 12 વાગ્યા એમ બે કલાક પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત સુધારા-વધારાનાં પ્રમાણપત્ર તે જ દિવસે લોકોને મળી શકે તે સુવિધા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું કમિશનરે જણાવ્યું હતું.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here