બે પાક્કી બહેનપણીએ જીવન ટુંકાવ્યું…

બે પાક્કી બહેનપણીએ જીવન ટુંકાવ્યું...
બે પાક્કી બહેનપણીએ જીવન ટુંકાવ્યું...

ખંજુરના કારખાનામાં સગીરા- પરિણીતા વચ્ચે પાકી મિત્રતા બંધાઈ ; સગીરાની અંતિમવિધિમાં ગયા બાદ આઘાતમાં પરિણીતાએ પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો ; આપઘાતનું કારણ જાણવા પોલીસની તપાસનો ધમધમાટ

સાચી મિત્રતા પછી પણ પ્રેમ થઈ શકે છે, પ્રેમમાં મિત્ર જીવ પણ આપી શકે છે. આ કહેવતને સાચી ઠેરતી ઘટના રાજકોટમાં બનવા પામી છે. રૈયાધારની ૧૭ વર્ષની બાવાજી યુવતિએ સાંજે સવા સાતેક વાગ્યે ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટુંકાવ્યું.

સગીરાના આઘાતમાં ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં રહેતી તેની પાક્કી બહેનપણી ૨૦ વર્ષની ભરવાડ યુવતિએ મોડી રાતે ગળાફાંસો ખાઇ પોતે પણ જીવન ટુંકાવ્યું. આત્મહત્યા કરી લેતા બન્નેના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ સગીરા – પરણિતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે. તે જાણવા યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રૈયાધાર રાધેશ્યામ ગૌશાળાના ગેઇટથી આગળ શિતલા માતાજીના મંદિર પાસે રહેતી પૂજા જીવણભાઇ રામાવત (ઉં.વ.૧૭) નામની બાવાજી યુવતિએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. ભગીરથસિંહ જે. ખેર તથા લક્ષમણભાઇ મહાજને ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પૂજા એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. ગઇકાલે સાંજે તે ઘરે એકલી હતી. રૂમ અંદરથી બંધ કરી તાળુ લગાવી તેણે એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.

તેના કાકા બાજુમાં રહેતાં હોય તેણે દરવાજો બંધ જોતાં ખખડાવતાં નહિ ખોલાતાં પાછળના માર્ગે થી છાપરા ઉંચકાવી અંદર જોતાં પૂજા લટકતી જોવા મળતાં દરવાજો તોડ્યો હતો.

૧૦૮ને જાણ કરાઇ હતી. પરંતુ ત્યારે મોડુ થઇ ગયુ હતું. પૂજા મોબાઇલ ફોનમાં વધુ પડતી વ્યસ્ત રહેતી હતી. કદાચ આ બાબતે કોઇનો ઠપકો મળ્યો હોઇ શકે છે. પોલીસ મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવશે. પૂજાના આપઘાત પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

આ ઘટના બાદ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-૬માં રહેતી જીવીબેન રવિભાઇ ધ્રાંગીયા (ભરવાડ) (ઉ.વ.૨૦) નામની યુવતિ ઘર પાસેના ઢોર બાંધવાના ઢાળીયામાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર જીવી સાત બહેન અને બે ભાઇમાં છઠ્ઠા નંબરે હતી. તેના લગ્ન પડધરીના રંગપરના ગોકુલપરામાં રહેતાં યુવાન સાથે બે વર્ષ પહેલા થયા હતાં. જો કે આણુ હવે આ દિવાળી પછી વાળવાનું હતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે જીવી અને રૈયાધારમાં સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરનાર પૂજા એમ બંને પાક્કી બહેનપણી હતી.

આ બંને રૈયાધારમાં આવેલા ગોવિંદભાઇ ભરવાડના ખજૂર પેકીંગ કરવાના ડેલામાં પાંચેક વર્ષથી સાથે કામ કરવા જતી હોઇ બંને સખી બની ગઇ હતી.

Read About Weather here

સાંજે પૂજાએ આપઘાત કર્યાની જાણ થતાં જીવી ત્યાં ગઇ હતી અને ખુબ રડી હતી તેમજ રડતા રડતાં અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. પરિવારજનોએ તેને દિલાસો આપ્યો હતો અને સમજાવીને ઘરે લઇ ગયા હતાં.

પરંતુ બહેનપણીનો વિયોગ વસમો લાગતાં રાત્રીના સાડાબારેક વાગ્યે તેણે ઘરના ઢોર બાંધવાના ઢાળીયામાં જઇ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું. પરિવારજનો દિકરીને દિવાળી પછી સાસરે વળાવવાની તૈયારીમાં હતાં. તેના બદલે તેની અરથી નીકળતાં ગમગીની છવાઇ ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here