રાજકોટ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ વડા હિતેન્દ્રકુમાર ઝાખરીયાના પરાક્રમો દિવસે ને દિવસે વધુ ને વધુ બહાર આવ્યા રહ્યા છે. તેમના અત્યાચારનો ભોગ બનેલા લોકો ભયમુક્ત થઈને સૌરાષ્ટ્ર ક્રાંતીનો સંપર્ક કરી રહ્યા છે. અમોને નર્સિગ વડાની ક્રમકુંડળીનું સમગ્ર રેખાચિત્ર પ્રાપ્ત થઇ રહ્યું છે. ચિત્ર વધુ વિહામણું અને ડરામણું છે. નર્સિગ વડા હિતેન્દ્ર ઝાખરીયાથી વિદ્યાર્થી વર્ગ ખૂબ જ નારાજ અને ગુસ્સે ભરાયેલો છે. સ્ટાફ વર્ગ ઝાખરીયાનાં વાણી-વર્તનથી ભારે ગુસ્સો અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉપવાસી મહિલાનાં એકટાંણા સંબંધે તેમણે કરેલું અપમાન જનક વર્તન બાબતે હોસ્પિટલ સંકુલ વિસ્તાર તેમના પર ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે.
તેમની વિરૂધ્ધની વારંવારની લેખિત ફરિયાદો છતાં અખંડ પલોટી વાળીને બેઠેલા ઝાખરીયાની લાગવગ અને સંપર્કો બાબતે પણ સિવિલ સંકુલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મેનપાવર સપ્લાયનું કામ કરતી એક વગદાર એજન્સીનાં આ અધિકારી પર ચાર હાથ હોવાનું પણ જાણકારોનું કહેવું છે. હોસ્પિટલ સંકુલ વિસ્તારનાં જાણકારો પૈકીનાં એકે પોતાનું નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, નાણાંકીય ગેરરીતિ સબબ ભાગ બટાઈ માં તેઓ પ્રામાણિકપણે જવાબદારો સુધી જરૂરી હિસ્સો પહોંચાડતા હોવાથી કોઈ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે.!!
એક સાથે 34 થી વધુ નર્સોએ આરોગ્ય તંત્રને લેખિત આપ્યું છતાં કોઈ તેનું કાંઈ ન બગાડી શક્યું નથી. તેઓએ મહિલાનાં અંગ-ઉપાંગો સંબંધે કરેલી ટીપ્પણી ઘણી જ શરમજનક છે. એમ આ સંબંધમાં થયેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. હિતેન્દ્ર ઝાખરીયા અને તેના પરિવારની અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં અપ્રમાણ સંપતિ સંબંધે તપાસ કરવામાં આવે તો બહુ મોટા ધડાકા ભડાકાઓ થાય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ છે.
Read About Weather here
નર્સિંગ વડાની વાણી-વર્તન અને ગેરરીતિઓ સંદર્ભે અમારા પ્રતિનિધિએ મેડીકલ સુપ્રિટેન્ડન્ટનો સંપર્ક કરતા હાલ તેઓ ઓફિશિયલ કામે ગાંધીનગર ગયા હોવાનું જણાવ્યું હતું અને તેમનું ઝાખરીયા સંદર્ભનું ઓફિશિયલ વર્ઝન લઇ શકાયું ન હોતું.હોસ્પિટલ સંકુલમાં હોટ ટોપિક બનેલા નર્સિંગ વડા ઝાખરીયા વિરુધ્ધ પ્રવર્તતા અસંતોષ સંબંધે તંત્ર તાકીદે પગલા લે તેવી માંગ અત્રે ઉઠવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here