![નરેન્દ્ર મોદીએ,આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથ સાથે દશાશ્ર્વમેઘ ઘાટ પર માં ગંગાનો જયકાર બોલાવ્યો ... નરેન્દ્ર મોદીએ,આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથ સાથે દશાશ્ર્વમેઘ ઘાટ પર માં ગંગાનો જયકાર બોલાવ્યો ...](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વડાપ્રધાન તરીકે ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ બાદ મંગળવારે નરેન્દ્રભાઇ મોદી બનારસ પહોંચ્યા હતા અને દશાશ્ર્વમેઘ ઘાટ પર ઉત્તરવાહિની મા ગંગાની વિધિવત વૈદિક રીત રિવાજથી પૂજન અર્ચન કર્યાં હતા. સાથે જ અહીં થતી વિશ્વ પ્રસિદ્ધ મા ગંગાની આરતીમાં પાંચમી વખત ઉપસ્થિત રહ્યાં.
![નરેન્દ્ર મોદીએ,આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથ સાથે દશાશ્ર્વમેઘ ઘાટ પર માં ગંગાનો જયકાર બોલાવ્યો … ગંગા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ભાવવિભોર મોદીનું સન્માન કરાયું હતું. તેમને રૂદ્રાક્ષની માળા, પ્રસાદ તરીકે લાલ પેંડા આપવામાં આવ્યા હતા. પ્રતીક ચિન્હમાં મા ગંગા, આરતીનો પ્રતીક ફોટો અને પીએમનું ચિત્ર સામેલ હતા.મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટ પર પહોંચતા જ જનતાએ હર હર મહાદેવના ઉદ્ઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. ગંગામાં બનેલા ખાસ ફ્લોટિંગ જેટી પર વડાપ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મા ગંગાની વિધિ વિધાનથી પૂજન અને આરતી કર્યાં.
![નરેન્દ્ર મોદીએ,આનંદીબહેન પટેલ અને યોગી આદિત્યનાથ સાથે દશાશ્ર્વમેઘ ઘાટ પર માં ગંગાનો જયકાર બોલાવ્યો … ગંગા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વડાપ્રધાન, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટના મણિ પર બેસીને આરતી પહેલા ભજન પણ સાંભળ્યા હતા. મોડી સાંજે શંખનાદ પછી મોદી તાળી વગાડતા જોવા મળ્યા. અંતે તમામે જયકાર પણ કર્યો.
Visit Saurashtra Kranti E-paper here