શૈતાનનો બીજો અવતાર
તપાસનાં ધમધમાટ બાદ આરોપી શ્રમિક મજુર ઝડપાઈ ગયો: ત્રણ વર્ષની બાળા પર બળાત્કાર બાદ હત્યા કરી લાશ નાલામાં ફેંકી દીધી હતી
ગુજરાતમાં માસુમ બાળકો પર દુષ્કર્મ સહિતનાં અપરાધોનાં બનાવોમાં ચિંતાજનક હદે એકધારો વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ત્રણ-ત્રણ માસુમ બાળાઓ પર બળાત્કાર કરી તેમાંથી એક બાળાની તરફીણ હત્યા કરવાના આરોપસર એક શખ્સને ઝડપી લેવામાં ગાંધીનગર જિલ્લા પોલીસને સફળતા મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
ગાંધીનગર એન્જનાં આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરી આ અપરાધીએ બાળાની હત્યા કરી લાશને નાલામાં ફેંકી દીધી હતી. આ ઘટના બાદએ પોલીસનાં હાથમાં આવી ગયો હતો.
26 વર્ષની વયનાં વિજય ઠાકોર નામના શ્રમિકે પૂછપરછમાં ત્રણ બાળાઓ પર બળાત્કાર કર્યાની કબુલાત કરી હતી. માનસિક રીતે વિકૃત, બદમાશ પરણેલો છે અને તેને એક દીકરી પણ છે.
વિભત્સ ફિલ્મો જોઈ-જોઈને આ શખ્સે પીસાચી ગુનાખોરી શરૂ કરી દીધી હતી. અદાલતે તેને રિમાન્ડ પર સોંપી દીધો છે. આ ઘટનાએ સમગ્ર ગાંધીનગર પંથકમાં અરેરાટી જગાવી છે. આ શખ્સ મૂળ કલ્લોલ તાલુકાનો છે અને મજુરી કામ કરે છે.
Read About Weather here
નરાધમે ત્રણ, પાંચ અને સાત વર્ષની ત્રણ બાળાઓ પર દુષ્કર્મ આચર્યાનું કબુલ કર્યું હતું. ત્રણ વર્ષની બાળાએ બરાળા પાડવાનું શરૂ કરતા આ શૈતાને બાળાની હત્યા કરી નાખી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here