શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં આગામી લોકસભાની ચુંટણીમાં ફરી દેશમાં ભાજપ સ2કા2નો ભવ્ય વિજય થાય અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સત્તા સ્થાને આરૂઢ થાય.
Visit Saurashtra Kranti Homepage here
દેશનો વિકાસ વણથંભ્યો ચાલુ રહે અને ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ તેમની કાર્યવાહી આગળ ધપે અને સમગ્ર દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્રસરકારની વિવિધ ગરીબ કલ્યાણકારી યોજનાઓના લાભ લઈ માનવી પોતાનું જીવનધોરણ દરેક ક્ષેત્રમાં સુખમય બનાવે તે માટે ભારતીય જનતા પક્ષ પંચનિષ્ઠાને વરેલો છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો સતત પ્રજાઓ વચ્ચે રહી કામ કરે છે. તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકતા સતત પ્રજાલક્ષી કામો માટે જાગૃત થાય તે માટે પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજકોટ મહાનગરના ભાજપના કોર્પોરેટરનો એક બેઠક ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરની બેઠક યોજવામાં આવી હતી આ તકે પ્રકાશભાઈ સોની, પ્રદિપભાઈ ખીમાણી, મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. અને દ્વારકા ખાતે યોજાનાર તાલીમ વર્ગ વિશે જણાવવામાં આવ્યું હતું.આ બેઠકની વ્યવસ્થા કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ સંભાળી હતી.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here