કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા ૭૨૩૨ કરોડની જોગવાઇ સરકારે જાહેર કરી છે. બજેટમાં રાજયના ચાર લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા રૂ.૮૭ કરોડની જોગવાઇ કરાઇ છે. ફૂડ પ્રોસેિંસગ માટે એકમ દીઠ રૂં.૧૦ લાખની સહાય માટે રૂ.૮૨ કરોડની જોગવાઇ કરાઇ છે..તે ઉપરાંત બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂં.૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Home GUJARAT