સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ થયાને ૭ વર્ષ થઈ ગયા છે. ૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ મોદી ૧.૦ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઞ્લ્વ્ હેઠળ ૧૭ સ્થાનિક કર અને ફરજો સામેલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર આ સાત વર્ષમાં સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સેવાઓ પરના ટેક્સમાં ઘટાડો વિશે લખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય માણસને ઞ્લ્વ્ના ફાયદા વિશે જાણકારી આપી છે.
![જીએસટી થી ઘર ઉપયોગની અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ : ૧૪૦ કરોડ લોકોના જીવનમાં સુધારો... જીવન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
પીએમ મોદીએ લખ્યું કે ઞ્લ્વ્ દ્વારા સુધારા એ આપણા માટે ૧૪૦ કરોડ ભારતીયોના જીવનને સુધારવાનું એક માધ્યમ છે. ઞ્લ્વ્ લાગુ થયા બાદ ઘરનો સામાન ઘણો સસ્તો થઈ ગયો છે. જેના કારણે ગરીબો અને સામાન્ય માણસો માટે ઘણી બચત થઈ છે. અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આ સુધારાઓને આગળ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદી દ્વારા તેની સાથે જોડાયેલ ડેટા અનુસાર, જો આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ડેટા પર વિશ્વાસ કરીએ તો, ઞ્લ્વ્ લાગુ થયા પછી, લોટ, કોસ્મેટિક્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે સહિતની મોટાભાગની ઘરગથ્થુ વસ્તુઓમાં સસ્તું બને છે.
![જીએસટી થી ઘર ઉપયોગની અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ : ૧૪૦ કરોડ લોકોના જીવનમાં સુધારો... જીવન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
તે જ સમયે, સસ્તી ઘરગથ્થુ ચીજવસ્તુઓને કારણે, લોકો પરનો આર્થિક બોજ ઓછો થયો છે અને લોકોની બચત કરવાની ક્ષમતામાં પણ સુધારો થયો છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે. અગાઉ શનિવારે ઞ્લ્વ્ કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ‘હું કરદાતાઓને ખાતરી આપવા માંગુ છું કે અમારો હેતુ ઞ્લ્વ્ કરદાતાઓનું જીવન સરળ બનાવવાનો છે.’
![જીએસટી થી ઘર ઉપયોગની અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ : ૧૪૦ કરોડ લોકોના જીવનમાં સુધારો... જીવન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here