મુખ્યમંત્રી કાલે કરશે નાગરિકોની ફરિયાદોનું ઓનલાઈન નિવારણ

નિર્મળ ગુજરાત અભિયાનને 31મી સુધી લંબાવાયું
નિર્મળ ગુજરાત અભિયાનને 31મી સુધી લંબાવાયું
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત  કાલે  યોજાશે જેમાં  અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે 8:30થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 28મી ડિસેમ્બરે, બપોરે 3:30 કલાકે યોજાશે.વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-2023નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28મી ડિસેમ્બરે યોજાશે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 28મી ડિસેમ્બરે બપોરે 3:30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.

Read National News : Click Here

સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 28મી ડિસેમ્બરના રોજ સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલ બપોરે 3:30 કલાકે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here