ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા લાજ કાઢતું ટીપી શાખા!?

ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા લાજ કાઢતું ટીપી શાખા!?
ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા લાજ કાઢતું ટીપી શાખા!?
રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે બાંધકામો અને બાંધકામને લગતી ગેરરીતિઓની છાશવારે લોક ફરિયાદો શહેરનાં અલગ- અલગ ખૂણે આપણા કાને સંભળાતી રહે છે. એવી પણ ગંભીર ફરિયાદો સંભળાતી હોય છે કે આખેઆખા ગેરકાયદે બિલ્ડીંગ બની ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર નોટીસ આપીને સંતોષનો ઓડકાર ખાઈ લેવામાં આવે છે અને આગળ કોઈ પગલા લેવાતા ન હોવાથી ગેરકાયદે બાંધકામોનું દુષણ વધુને વધુ વકરી રહ્યું છે. લાગતા વળગતા વિભાગના અમુક અધિકારીઓ અને બિલ્ડરો વચ્ચેની નાક નીચે આવા બાંધકામ પ્રસરી રહ્યા હોવાનું કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તંત્રનું રહસ્યમય મૌન અને આડું જોઈ જવાની વૃતિ પણ આ દુષણ માટે કારણભૂત હોવાનું કહેવાય છે. સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ મોટા વગ ધરાવતા રાજકીય નેતા અને ટીપી અધિકારીની સાંઠગાંઠ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મનપા કમિશનર અને ટીપીના અધિકારીઓ ઘણા દિવસો થઇ ગયા હોવા છતાં કોઇ એક્શન ન લેતા મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેમ છે અને જાગૃત નાગીરક દ્વારા ગેરકાયદે બાંધકામ મુદ્ે પીટીશન દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં જો આ બાંધકામ સામે પીટીશન દાખલ કરાશે તો બાંધકામ કરનાર બિલ્ડર, ટીપીના સામેલ અધિકારીઓ, અને નેતા તથા નજીકના હોદેદારો સહિતના નામ ખુલશે અને તપેલા ચડી જાય તો પણ નવાઇ નહીં.

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના ટીપી વિભાગની ખાસ ટીમ દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે જયારે જયારે કાર્યવાહી શરૂ થાય ત્યારે તેની મસમોટી તસ્વીરો સાથે પ્રેસનોટ પ્રસિધ્ધ કરાતી હોય છે. અને આમ આદમીને એટલે કે શહેરીજનને એવું લાગે છે કે, બહુમોટી કામગીરી કરવામાં આવી છે પરંતુ તસ્વીરો પાછળની જે સચ્ચાઈ છે તેનો આમ જનતાને કદી ખ્યાલ આવતો નથી. શું તોડવામાં આવ્યું, શું હટાવવામાં આવ્યું તેની સાચી હકીકત જો બહાર આવે તો લોકો મોઢામાં આંગળા નાખી જાય. જે કોઈ કાર્યવાહી થાય છે એ મોટાભાગે ગરીબોના ઝુંપડા તોડવાની કાર્યવાહી જ હોય છે. વગદાર યા તો વહીવટ કરવામાં કાબેલ અથવા તો મનપામાં ચોકકસ જગ્યાએ સંપર્કના પ્લગ ભરાવીને ધાર્યું કરાવી શકતા લોકોના બાંધકામો ગમે તેટલા ગેરકાયદે હોય ત્યાં સુધી ટીપી શાખાના કહેવાતા લાંબા હાથ પહોંચતા નથી અને ભૂલેચુકે પહોંચી પણ જાય તો તે લાંબા હાથને પાછા વાળી લેવામાં આવતા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, મોટી વગ ધરાવતા રાજકીય નેતા જ્યાં- જ્યાં મુખ્ય સૂત્રધાર હોય ત્યાંના ગેરકાયદે બાંધકામ તોડવાના ટીપી શાખા આગળ વધતી નથી અને માત્ર કાગળ પર રેકર્ડ રાખવા નોટીસો ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. એવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે. ઘણીવખત લોકો એવું માનવા લાગ્યા છે કે, શક્તિશાળી ટીપી શાખા ત્રણેય ઝોનમાં ગરીબ અને નબળા વર્ગના ઝુંપડા તોડી પડાય છે પરંતુ મોટા માથાઓના કે રાજકીય વગ ધરાવનારાઓના ગેરકાયદે બાંધકામો તોડવામાં કોઈ આગળની કાર્યવાહી કરાતી નથી. આવા બાંધકામ કરનારાઓ સુધી નોટીસો પહોંચે છે પણ બુલડોઝર પહોંચતા નથી.

Read About Weather here

એ લોકોએ સામાકાંઠે રણછોડનગર સદ્દગુરૂ-2માં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયા છે અને થઇ રહ્યા છે છતાં નોટીસ સિવાય કોઈ કાર્યવાહી થઇ નથી. નોટીસ અને વિજીલન્સ તપાસનાં આદેશ છતાંય આર્શ્ર્ચજનક રીતે અવિરત ગેરકાયદે બાંધકામો ખડા કરવામાં આવી રહ્યા છે. કોઈ મોટી રાજકીય વગને કારણે જ આવું શક્ય બને એવી લોકોમાં જોરશોરથી ચર્ચા છે. સામાકાંઠે રણછોડનગર સદ્ગુરૂ-2માં ચાલતા ગેરકાયદેસર બાંધકામ પાછળ એક કોર્પોરેટરની ભુંડી ભુમીકા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ગરીબોના ઝુંપડા તોડી પાડવા માહિર તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા વાંધો શું?? ભારે ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here