હજ્જારો દર્દીઓને મદદરુપ બનતાં વાંકીયાના કાઠી દરબાર નટુભાઈ ખાચર

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

વાંકીયાના કાઠી ક્ષત્રિય નટુભાઈ શાંતુભાઈ ખાચર અત્યાર સુધીમાં જસદણ ગઢડા અને બાબરા તાલુકાના ગામડાઓમાંથી આવતા હજ્જારો ગરીબ દર્દીઓને સમયસર મદદરૂપ બની એક ખરા અર્થમાં લોકોની પીડા મિટાવી છે. ત્રણેય તાલુકાના ગામડાઓમાં વસતાં લોકો મોટા ભાગે અભણ ખેડૂતો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેઓના પરિવારમાં કોઈ સભ્યને કોઈપણ બિમારી આવે તો તેઓ પહેલાં નટુભાઈને ફોન કરે છે. તેઓ અડધી રાત્રિના પણ તે દર્દીઓના સગા સંબંધીઓ સાથે જસદણ સારવાર માટે જઈ તેમને દાખલ અને સારવાર ચાલું કરાવી પછી જ ઘરે પરત ફરે છે.

જો દર્દીઓને કોઈ ગંભીર બીમારી હોવાનું ડોકટર જણાવે તો તેમની સાથે રાજકોટ, અમદાવાદ સુધી સાથે જઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને કોઈ નકામા પૈસાનો વેડફાટ થતો અટકાવે છે. આવા માનવતાવાદી નટુભાઈ અત્યાર સુધીમાં હજ્જારો દર્દીઓને હોસ્પિટલમાં સાથે જઈ સારવાર અપાવી છે, અને ઓપરેશન કરાવ્યાં છે.

Read About Weather here

તેમની આ યાત્રા હજું ચાલું છે. તેમના કહેવા મુજબ કોઈ ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવાની શક્તિ ન હોય અને આ કામમાં કોઈ ગતાગમ ન પડતી હોય તો મને ગમે તે સમયે મો. ૯૯૧૩૧૦૦૧૯૩ ઉપર ફોન કરજો. હું તમારી સાથે આવવા તૈયાર છું.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here