હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે
હજારો ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન સાથે

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત આવતીકાલે પરમધામ સાધના સંકુલના પ્રાંગણમાં ઉજવાશે

અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ અવની પર જેમનું પરમ પુણ્યવંતુ અવતરણ થયું હતું, એવાં ત્રણ લોકના નાથ, જગતના તારણહારા, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ મહાવીર જન્મોત્સવનો ભવ્યાતિભવ્ય અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે ઉજવાઇ રહેલા ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત આવતીકાલ પરમધામ સાધના સંકુલના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે.

પ્રભુના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલાં 14 મહાસ્વપ્નો અલૌકિક વણઝારના દિવ્ય દર્શન કરાવવા સાથે આ અવસરે પ્રભુના અમૂલ્ય ગુણોને પ્રકાશિત કરતાં સુંદર અને પ્રેરણાત્મક દ્રશ્યાંકનની પ્રસ્તુતિ બાદ હજારો ભાવિકો અત્યંત ભક્તિભાવ અને નૃત્ય કિર્તના કરતાં કરતાં પ્રભુ જન્મોત્સવના વધામણાં લેશે ત્યારે ગુંજી રહેશે પરમધામના અણુ અણુમાં પ્રભુના નામનો જય જયકાર.

Visit Saurashtra Kranti Homepage here

ઉલ્લેખનીય છે કે, જૈન દર્શનમાં તીર્થંકર પ્રભુની માતાને આવતા 14 મહામંગલકારી મહાસ્વપ્નનુ અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેકે દરેક સ્વપ્ન મંગલકારી, શુભકારી અને રિદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિનાં પ્રતિક હોય છે.

એવા એ દિવ્ય મહાસ્વપ્નોના દર્શન સાથે પ્રભુ મહાવીર પ્રત્યે અંતરની શ્રદ્ધા ભક્તિભાવની અર્પણતા કરવા આ અવસરે પરમધામમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 49 સંત – સતીજીઓ ઉપરાંત સમગ્ર ભારત તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, નાયરોબી, બાંગ્લાદેશ, કંબોડીયા, પાકિસ્તાન, યુગાન્ડા, સિંગાપોર, દુબઇ, અબુધાબી, સુદાન આદિ 120 થી વધુ દેશોના લાખો ભાવિકો અત્યંત આતુરતા અને ઉત્સાહપૂર્વક તત્પર બની રહ્યાં છે.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અનેક ક્ષેત્રોનાં ગરીબ લોકોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જય જયકાર વર્તાવવામાં આવશે. ભગવાન મહાવીર જન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ સવારના 8:30 કલાકે પ્રારંભ કરવામાં આવશે.

Read About Weather here

જેનું ઈશ્વર ચેનલ અને સોહમ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, પ્રભુ જન્મોત્સવના પાવન અવસરે, પપ્રભુ જન્મોત્સવ જે ભક્તિભાવથી ઉજવે, તે પ્રભુ પરિવારમા જન્મ પામેથ આવા ભાવ સાથે સર્વ પ્રભુપ્રેમી ભાવિકોને પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here