શ્રીનગરમાં આતંકવાદનો ધૃણાસ્પદ રૂપ
શીખ પ્રિન્સીપાલ અને પંડિત ટીચરને સ્થળ ગોળીઓ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ હવે ભૂરાયા થયા છે અને કાશ્મીર ખીણમાં મુશ્લીમો તથા પંડિતો વચ્ચે વેરઝેરની ખાઈ ઉભી કરવા માટે નવા-નવા કાળા કરતુતનો અમલ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
શ્રીનગરમાં ગુરૂવારે બનેલી ઘટના અત્યંત કરુણા જનક છે. એક શાળામાં ઘુસી ગયેલા સરકારી શાળાનાં કેમ્પસમાં પહેલા બધાનાં આઈ.ડી માંગીને જોયા હતા અને ત્યારબાદ શાળાનાં શીખ પ્રિન્સીપાલ તથા કાશ્મીરી પંડિત શિક્ષકની ઘતકીય હત્યા કરી નાખી હતી.
શ્રીનગરમાં સંગમ ઈદગાહ બોયસ હાઈસ્કૂલમાં આ દર્દનાક ઘટના બની હતી. મહિલા પ્રિન્સીપાલ સુપીન્દર કૌર 44 વર્ષની વયનાં હતા. મૃતક શિક્ષક દીપકચંદ કાશ્મીરી પંડિત હતા.
આ ઘટનામાં સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. સદનશીબે શાળાનાં વર્ગો શરૂ કરવામાં ન આવ્યા હોવાથી કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હતા. કાશ્મીરનાં ડી.જી.પી દિલબાગસીંઘે ઉપરાઉપર થઇ રહેલી
હત્યાઓને કાશ્મીરના સદીઓ જુના પરંપરાગત કોમી એખલાસને ખતમ કરવા માટેની વ્યૂહરચના સમાન ગણાવી હતી અને કહ્યું હતું કે સ્થાનિક મુસ્લિમોને બદનામ કરવા માટે પાકિસ્તાન ત્રાસવાદી જૂથોએ નવી ચાલ અપનાવી છે.
શિક્ષકોની હત્યાની જવાબદારી ત્રાસવાદી જૂથ લશ્કરની પાંખ ટી.આર.એફ દ્વારા સ્વીકારવામાં આવી છે અને ધાક ધમકીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Read About Weather here
ખીણમાં ફરીથી આવીને ધીમે ધીમે વસવાટ કરવા લાગેલા કાશ્મીરી પંડિતોને ડરાવવા અને ફરીથી તગેડી મુકવાનો કારસો ત્રાસવાદીઓએ ઘડ્યો છે તેવું ઉચ્ચ અધિકારીઓ માને
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here