ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના કેસોમાં વધારો
મ્યુ.કમિશનરને રજૂઆત કરતા વિપક્ષી નેતા
શહેરમાં ડેન્ગ્યું, ચિકનગુનિયા, ,મેલેરિયા, તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના અનેક સીઝનલ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ તમામ રોગચાળા પ્રત્યે ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે અને વકરતા રોગચાળાના ઉપચાર માટે વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવે તેમજ ફોગીંગ, મેલેથીયોન દવાનો છંટકાવ, મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે ઘરે-ઘરે જઈ ટાંકામાં દવા નાખવી મચ્છરના ઉત્પતીસ્થાનોમાં દવા છંટકાવ કરાવવા સહિતના પગલા લેવા મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને રજૂઆત કરી છે.
Read Saurashtra Kranti E-Paper : Click Here
Read About Weather here
ભાનુબેન સોરાણીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી-ઉધરસ, સહિતના દર્દીઓની સંખ્યા દર સપ્તાહે અગાઉ જાણ કરવામાં આવતી હતી જે વર્ષ 2019-ડીસેમ્બરથી બંધ હોઈ હાલ રોગચાળો દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે લોકોના જનહિતાર્થે રોગચાળાના આંકડાઓ પહેલાની જેમ જાહેર કરવામાં આવે તેમજ પી-ફોર્મ અને એલ-ફોર્મની વિગતો કોર્પોરેશનની વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવે તેવી અમો રાજકોટ શહેરના નગરજનો વતી ભાનુબેન સોરાણીએ માંગ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here