અષાઢ વદ અમાસને રવિવારે દિવાસો તથા એવ્રત-જીવ્રત જાગરણ છે. તથા આ દિવસે સવારે રવિપુષ્પામૃત યોગ તથા આ દિવસથી દશામાંના વ્રતનો પ્રારંભ થશે.
અષાઢ વદ અમાસને દિવાસો કહેવામાં આવે છે અને આ દિવસને દિવાસો એટલે સો પર્વનો વાસો એમ કહેવત પ્રમાણે કહેવામાં આવે છે.
એટલે કે દિવાસોથી લઇ અને દેવ દિવાળી સુધીનો ગાળો આશરે 100 દિવસનો થાય છે અને આ દિવસ એટલે ૧૦૦ તહેવાર એટલે જ કહેવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો.
Visit Saurashtra Kranti Homepage here
એવ્રત-જીવ્રત પરિણીત બહેનો કરે છે. ભગવાન શંકર-પાર્વતીનું પૂજન કરે છે. આ વ્રત સંતાનની રક્ષા માટે અને પતિની રક્ષા માટે કરે છે. રવિવારે સવારનાં ૬-૨૩ થી ૯-૧૯ સુધી રવિપુષ્પામૃત યોગી છે. અમાસ હોવાથી પૂજા, જપ, તપ માટે શ્રેષ્ઠ ગણાશે. નવી કોઈ ખરીદી કરવી નહિ.
દશામાંનાં વ્રતની શરૂઆત પણ રવિવારથી થશે. આ વ્રત દશ દિવસ ચાલે છે. સ્વચ્છ પાટલા ઉપર અથવા બાજોટ ઉપર દશામાનું સ્થાપન કરવું, બાજુમાં કળશની સ્થાપના કરવી, કળશ ઉપર દશ ગાંઠ વાળીને કળશને વીંટળવા ધૂપ-દિપ કરવા. દશ-દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું . દરરોજ દશામાંના નામની માળા જપ કરવા માતાજીનું પૂજન કરવું.
Read About Weather here
આમ, દશ દિવસ સુધી પૂજન કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. રિધ્ધિ-સિધ્ધીની પ્રાપ્તિ થાય છે. સુખ-સમૃધ્ધિમાં વધારો થાય છે. ગ્રહોનું નળતળ દૂર થાય છે. અશુભ ગ્રહોની પીડા દૂર થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here