કુલ મૃત્યુ આંક પાંચ થયો ; કૃપાલી ગજ્જર નામની વિદ્યાર્થિનીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે
કાલાવાડ રોડ પર મેટોડા GIDC નજીક થયેલા મેડિકલ વિદ્યાર્થીઓની કારના અકસ્માતમાં ઇજાગ્રસ્ત કૃપાલી ગજ્જર નામની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કૃપાલી ગજ્જરનું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉલ્લેખનીય છે કે, બુધવારે કૃપાલીની સર્જરી કરવાની હતી તે પહેલાં જ અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. અકસ્માતમાં ઘવાયેલી પાંચમી વિદ્યાર્થીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ચાર દિવસ પહેલા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સજાતા 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા, મૃતક નિશાંત દાવડા, ડો, સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here