મેંગો માર્કેટમાં આગ !, કારણ…?

મેંગો માર્કેટમાં આગ
મેંગો માર્કેટમાં આગ

ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરી સદનશીબે કોઈ જાનહાની થઇ ન હોતી: રૂ.૧ લાખનું નુકશાન

શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ પર મેંગો માર્કેટનાં સેડમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં નાસભાસ મચી જવા પામી હતી.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ આજે સવારે કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટનાં સેડમાં કોઈ કારણોસર આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ડ્રાઈવર સુનીલભાઈ, ફાયરમેન જયેશભાઈ, આશિષભાઈ, જયદીપસિંહ સહિતનો કાફલો એક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી.

Read About Weather here

આગનાં કારણે લોકોમાં અને વેપારીઓમાં નાસભાસ મચી જતા અફરાતફરી સર્જાઈ હતી. આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળી શક્યું ન હોતું. આગનાં કારણે અંદાજે રૂ.૫૦ હાજરથી ૧ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું અને સહનશીલે કોઈ જાનહાની થવા પામી ન હોતી તેમ મેંગો માર્કેટનાં પ્રમુખ દ્વારા ફાયર બ્રિગેડને જણાવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here