મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મુકવા માંગ

મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મુકવા માંગ
મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મુકવા માંગ

કોંગી કોર્પોરેટર અને અનુ.જાતિ આગેવાનોનું ઉપવાસ આંદોલન, પોલીસ સાથે ઝપાઝપી, અટકાયત

રાજકોટ મનપા કચેરી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની તૈલી ચિત્ર મુકવા માંગ કરવામાં આવી હતી. જોકે મનપા દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવતા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મનપા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપા અને શાસકો બાબા સાહેબના તૈલી ચિત્ર મુકવા અંગે કિન્નાખોરી દાખવી રહ્યાં છે માટે ધરણા યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષનેતા અને હાલના વોર્ડ નંબર 15ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા આજે રોજ અનુ.જાતિ સમાજના આગેવાનો સાથે રાખી મનપા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. જોકે વશરામ સાગઠિયા અને સમાજના આગેવાનો ધરણા કરે તે પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. અટકાયત સમયે આગેવાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મનપા કચેરીમાં ડો.બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મૂકવા માગ કરવામાં આવી હતી.

Read About Weather here

વશરામ સાગઠિયા અને અનુ.જાતિ આગેવાનોએ મનપા કચેરીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું તૈલી ચિત્ર મુકવાની માગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. તમામ ઉપવાસ આંદોલન પર બેસે તે પહેલા જ પોલીસ આવી ગઈ હતી અને તમામની અટકાયત કરી હતી. અટકાયત સમયે પોલીસ અને અનુ.જાતિ આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here