ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાંથી રાજકોટ જેવું મહાનગર ફેંકાઈ ગયાની ઘટનાથી મનપા નાં વહીવટ અને દાવાઓની પોલ ખુલી જવા પામી છે. મનપા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા સ્ટાફનાં ચહેરા
Visit Saurashtra Kranti Homepage here
પર શરમનાં શેરડા ઉતરી આવે એવી આ ઘટનામાં રાજકોટ સ્વચ્છ શહેરોની યાદીમાંથી સ્થાન ગુમાવી ચૂક્યું છે. સતત પાંચમાં વર્ષે ઇન્દૌર શહેર સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી ગયું છે
અને એક જ વર્ષનાં ગાળામાં રાજકોટ આ સ્થાન ગુમાવી ચૂક્યું છે. તેના માટે જવાબદાર કોણ એ સવાલનો જવાબ બહુ આસાન છે. રાજકોટ શહેરને સ્વચ્છ અને ગંદકી મુક્ત રાખવાની જે તંત્રની જવાબદારી છે
એ તંત્ર તેની ફરજમાંથી ઉણું ઉતર્યું છે એ હકીકત દિવા જેવી ચોખ્ખી બનીને બહાર આવી છે.ગયા વર્ષે રાજકોટ દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં સુરતની સાથે સંયુક્ત બીજા ક્રમે હતું. આ વખતે ફાઈવ સ્ટાર રેન્ક પણ ગુમાવી દીધો છે.
અને પોતાને સ્વચ્છ શહેર તરીકેનું બહુમાન પણ ગુમાવી દીધું છે. સમગ્ર મનપા તંત્ર માટે અને ખાસ કરીને આરોગ્ય વિભાગ માટે આ ખૂબ જ શરમજનક બીના છે. એક જ વર્ષમાં આપણું કહેવાતું વિકસિત અને સ્માર્ટ મહાનગર સ્વચ્છતાનાં રેન્કમાં આગળ વધવાને બદલે સમુળગુ આખી યાદીમાંથી બહાર થઇ જાય.
ખરેખર ખૂબ જ દુ:ખદ અને પીડાદાયક બાબત છે. જવાબદાર મનપા તંત્ર સિવાય બીજું કોઈ હોય? રાજકોટનાં નાગરિકો માટે પણ રેન્કિંગ ગુમાવવાની ઘટના આત્મ નિરીક્ષણનો અવસર પૂરો પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો. ગાંધીજીનાં સૂત્રને સાકાર કરવા માટે અલગ-અલગ શહેરો અને રાજ્યોનાં સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા પણ શરૂ થઇ છે.
સામાન્ય રીતે પ્રયાસ એવા હોવા જોઈએ કે, રેન્કિંગમાં વધુ ઉંચે ન જઈએ તો પણ આપણે રેન્ક સાવ ગુમાવી દેવો તો ન જ જોઈએ. પણ રાજકોટ માટે આવું થયું છે.
જે સમગ્ર મનપા તંત્રનાં વહીવટ સામે અનેક ધારદાર સવાલો ઉભા કરે છે. મનપા નાં જવાબદાર નગર નિયોજકોએ આજથી જ એવિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે સ્વચ્છતાની દ્રષ્ટિએ ક્યાં કાચુ કપાઈ રહ્યું છે? રાજકોટ કેમ સ્ટાર રેટિંગમાંથી ફેંકાઈ ગયું છે?
સ્વચ્છતાની કામગીરીમાં તંત્ર સુધારવાને બદલે કેમ દિવસે-દિવસે અધોગતિની ગર્તામાં કેમ ધકેલાઈ રહ્યું છે? આ તમામ સવાલોનાં જવાબ નાગરિકો માંગી રહ્યા છે અને મનપા સતાવાડાઓએ તેના જવાબ આપવાના રહે છે.
રાજકોટને ફરીથી સ્વચ્છતાનાં રેન્કિંગમાં સ્થાન અપાવવા માટે જાગ્યા ત્યાંથી સવાર ગણીને એકડે એક થી જોશપૂર્વક પ્રયાસો શરૂ કરી સ્વચ્છતા અભિયાનને જવાબદાર તંત્ર અને સ્ટાફની રોજીંદી ટેવ બનાવવી જોઈએ.
Read About Weather here
તો જ કદાચ આવતા વર્ષે આપણે 2020 ની જેમ સ્વચ્છ શહેર તરીકેની પ્રતિષ્ઠા પુન: હાંસિલ કરી શકશું. શું રાજકોટનાં પ્રથમ નાગરિક અને નગર નિયોજકોને અવાજ સંભળાશે ખરો?
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here