સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ
ઉનાળુ પાક ધોવાતા ખેડૂતો બેહાલ: કેળા, કેરી સહિતના પાકને ભારે નુકશાની: અનેક ગામોમાં
તાઉ-તે વાવાઝોડા દરમિયાન તિવ્ર ગતિએ ફૂંકાયેલા પવન અને વરસાદનાં કારણે ઠેર-ઠેર વિજળીનાં થાંભલા પડી ગયા. અનેક માર્ગોને વ્યાપક નુકશાની થયાનું જાણવા મળ્યું છે. ખેડૂતોની માઠી બેઠી હોય તેમ ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી ગયો છે. એટલું જ નહીં ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. તાઉ-તે વાવાઝોડાથી કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. તંત્ર દ્વારા હજી સતાવાર કેટલું નુકશાન થયું તે જાહેર કરવામાં આવ્યું છે.
Subscribe Saurashtra Kranti here
રાજ્યનાં અનેક શહેરો-ગામડાઓમાં ભારે પવન અને વરસાદથી વિજપોળ, કાચા મકાન, સોલાર પેનલ, પાણીના ટાંકા તેમજ વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદથી અનેક રોડ-રસ્તાઓ પર મસમોટા ખાડા પડવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે. તાઉ-તે વાવાઝોડા પૂર્વે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત રાજ્યનાં કલેક્ટરો સાથે સંપર્કમાં રહી પરિસ્થિતિને પહોંચી વળવા સતત માર્ગદર્શન આપતા રહ્યા. તંત્ર દ્વારા લેવાયેલા પગલાથી મોટી ખાના ખરાબી થઇ ન હતી. સરકાર દ્વારા લેવાયેલા પગલાઓથી મોટી જાનહાની ટળી હતી. મોટું નુકશાન થતું અટક્યું હતું.
![‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
![‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![‘તાઉ-તે’ વાવાઝોડાથી કરોડોનું નુકશાન વાવાઝોડા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here