ગુજરાતમાં હવે ગુંડાઓનું શાસન ખતમ થશે : ઇશુદાન

ગુજરાતમાં હવે ગુંડાઓનું શાસન ખતમ થશે : ઇશુદાન
ગુજરાતમાં હવે ગુંડાઓનું શાસન ખતમ થશે : ઇશુદાન

‘આપ’ના ઇશુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

ભાજપ-કોંગ્રેસની મીલીભગતથી એક તરફી શાસન ચાલ્યું હવે કોંગ્રેસને પછાડી ‘આપ’ પાર્ટી ભાજપને ટક્કર આપશે

ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાશે અને કોંગ્રેસ પક્ષને પછાડી આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ ભાજપના શાક્ષકોને ટક્કર આપશે. આવનારા સમયમાં ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને બહુમતીથી જીતાડી ગુંડાઓનું શાશન ખતમ કરી નાખશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી એકતરફી શાશન ચલાવ્યું છે.હાલ કોંગ્રેસ પક્ષ મૃત પ્રય અવસ્થામાં છે. પરંતુ હવે ગુજરાતની પ્રજા પાસે મજબૂત પક્ષ તરીકે બીજા નંબરે આમ આદમી પાર્ટી છે.હવે ટુક સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સૌરાષ્ટ્રના લોકોના પ્રશ્નો જાણી તેનો ઉકેલ લાવશે તેવું પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુંદાનભાઈ ગઢવીએ રાજકોટમાં એન્જીનીયર હોલ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

ઈશુંદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં સામાજિક આગેવાનો – ભાજપ તથા કોંગ્રેસ પક્ષના યુવા લોકો, સરપંચો સહિત વેપારી સંગઠનો આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે જોડાયા છે. જામનગર – ભાવનગર , અમદાવાદ , સુરત , વડોદરામાં ઘણા શિક્ષિત યુવકોના કોલ આવી રહ્યા છે, મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ શિક્ષિત લોકોએ આમ આદમી પાર્ટીમાં ગુજરાતનું ભવિષ્ય જોઈ રહ્યા છે.

આપ પાર્ટી પદ – પ્રતિષ્ઠતા માટે નથી, ભાજપ પક્ષની નિષ્ફળતા અને કોંગ્રેસ પક્ષની મૃત પ્રાય અવસ્થાને કારણે આપ પાર્ટીનો ઉદય થયો છે. આગામી ચૂંટણીમાં ગુજરાતની પ્રજા ભ્રષ્ટાચાર અધિકારી – પદાધીકારીઓને દૂર કરશે.આપ પાર્ટી આદિવાસી લોકોથી શિક્ષત યુવા વર્ગ સુધી, ખેડૂત – વેપારીઓ, સામાજિક અગ્રણી, પત્રકારો, દબાયેલા- કચડાયેલા લોકોના અવાજને વાંચા આપશે. સૌરાષ્ટ્રના લોકોના પ્રશ્નોને આમ આદમી પાર્ટી વાંચા આપશે.

Read About Weather here

હવે ટુક સમયમાં હું ઈશુંદાન ગઢવી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, ગઢવી સમાજના અગ્રણીઓ, અન્ય સમાજના લોકો, વેપારી એસોસીએશનના પ્રમુખને મળીશ, એક વર્ષમાં તમામ લોકોના પ્રશ્નોને જાણીશ. હાલ કોરોના કાળમાં જ બેડ …ઇજકેશન … ઓક્સિજન.. એમ્બ્યુલન્સ… જેવા આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવામાં ભાજપ નિષફળ નીવડ્યું છે, આરોગ્ય મંત્રી, શિક્ષન મંત્રી, ભાજપના નેતાઓ શુ કર્યું ? એ પ્રજા સારી રીતે જાણે છે. ભાજપ – કોંગ્રેસની મિલીભગતથી એક તરફી શાસન ચાલ્યું છે.હાલ ભાજપ – કોંગ્રેસના આકાઓની ખુરશીઓ હલબલી ગઈ છે. 27 વર્ષ સુધી ભાજપના શાસકોએ ગુજરાતને ગુમરાહ કર્યું છે. પરંતુ હવે આ નહીં ચાલે , ટુક સમયમાં ગુજરાત દિલ્લી જેવુ રોયલ મોડેલ બનશે.

ટુક સમયમાં ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાશે…કોંગ્રેસને પછાડી આમ આદમી પાર્ટી ભાજપ પક્ષને ટક્કર આપશે.ભાજપ પક્ષે સાઈડ લાઇન કરેલા તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે.દરેક વ્યક્તિને શિક્ષિત લાયકાત મુજબ હોદો અપાશે. પૈસાના બળે આગળ વધનારા લોકોનું આમ આદમી પાર્ટીમાં કામ જ નથી. સાર લોકો સાથે મળીને આમ આદમી પાર્ટી ગુંડાઓનું શાશન ખતમ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here