અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે કાલે સાંજે 5 કલાકે કરાયું આયોજન: કિશોરસિંહ
સ્વર સાધના એકેડેમી દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે તા.8ને શનિવારે સાંજે 5 કલાકે એક શામ સ્વર સાધના એકેડેમી કે નામ જુના-નવા હિન્દી ફિલ્મી ગીતો પ્રસ્તુત કરવામાં આવશે. મુખ્ય આયોજક કિશોરસિંહ જેઠવા, મનન વિઝુંડા, મુકેશ રાવત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
લલિતભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અને સંગીત નિર્દેશન હેઠળ : મનન વિઝુંડા, કિશોરસિંહ જેઠવા, મુકેશ રાવત, નટુભાઈ પાણખાણીયા, ધૈવત શુકલ, રાજેન્દ્ર ઠાકર, સંજય મહેતા ભદ્રેશ અધ્વર્યુ, નમ્રતા ગોસલીયા, સ્મિતા આશરા, ભાવના અંબાસણા, વર્ષા ગજજર, લીના શાહ, અરૂણા ત્રિવેદી જેવા ગાયક કલાકારો પોતાના ગીતો રજૂ કરનાર છે.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે પ્રદીપભાઈ ડવ (મેયર), મનોહરસિંહ જાડેજા (ડી.સી.પી, ઝોન-2), ગાયત્રીબા વાઘેલા (મહિલા અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ),ગુણુભાઈ ડેલાવાલા (પ્રમુખ, સરગમ ક્લબ) તેમજ રાજકોટના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે.
Read About Weather here
આ કાર્યક્રમમાં સ2કા2ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને આવવાનું રહેશે. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ કાર્યક્રમ વિનામુલ્યે સંગીતપ્રેમી જનતા માટે ‘સ્વર સાધના એકેડમી’ દ્વારા રજુ કરનાર છે. પાસ મેળવવા માટે: મો.99252 48251, 84600 15502, 81283 12631 પર સંપર્ક કરવા કિશોરસિંહ જેઠવાએ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here