આવતીકાલે મુખ્મંત્રીના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

આવતીકાલે મુખ્મંત્રીના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
આવતીકાલે મુખ્મંત્રીના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. રાજ્યના કૃષિ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના પ્રભારીમંત્રી રાઘવજી પટેલ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ આવતીકાલે સવારે 11 વાગ્યે સંયુક્ત ડાયસ કાર્યક્રમ કાલાવડ રોડ પર એ.જી.ચોક ખાતે યોજાશે.

લોકાર્પણની વિગત
રૂ. 28.52 કરોડના ખર્ચે જડુસ ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ , વોર્ડ નં.9માં રૈયા મુક્તિધામ ખાતે રૂ. 4.07 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન, રીંગરોડ-2, ફેઝ-3માં ગોંડલ હાઇ-વે થી ભાવનગર હાઇ-વે સુધીના 10.60 કી.મી. રસ્તાની કામગીરી , રીંગરોડ-2, ફેઝ-4 માં ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે સુધીનાં 10.30 કી.મી. રસ્તાની કામગીરીનું લોકાપર્ણ કરાશે.

ખાતમુહૂર્તની વિગત
રૂ. 7.92 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિસ્તારની ટી.પી. સ્કીમ નં.32, રૈયા એફ.પી.નં.83 ની 25,027 ચો.મી. જમીન પર ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન અને ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુહૂર્ત થશે. વોર્ડ નં.3માં રૂ. 1.09 કરોડના ખર્ચે રેલનગર મેઈન રોડ બંને સાઈડ ફૂટપાથ તથા સાઈડ સોલ્ડરની યુટીલીટીનું ખાતમુહૂર્ત થશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઊઠજ-1 કેટેગરીના ડ્રો 590 તથા પોપટપરા વિસ્તારના કઈંૠ કેટેગેરીના 100 આવાસોનું લોકાર્પણ કરાશે.