ઓડ-ઇવન પધ્ધતિથી અપાશે શિક્ષણ
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનાં કહેરનાં પગલે ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. સાથે પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી. હાલા કોરોના શાંત પડતા જ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા પરીક્ષાઓ લેવાણી તથા આજથી ધો-9 થી 11 નાં વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
Subscribe Saurashtra Kranti here
બધા વિદ્યાર્થીઓ એક સાથે ભેગા ન થાય તે માટે ઓડ-ઇવન પધ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવાશે. વિદ્યાર્થીઓ પાસેથી પ્રથમ સંમતિપત્ર મેળવ્યા બાદ તથા વિદ્યાર્થીઓનું સેનીટાઈઝર અને થર્મલ ટેમ્પરેચર માપ્યા બાદ શાળામાં પ્રવેશ દેવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ૨ અલગ-અલગ રીષેસ અપાશે.
જેથી વિદ્યાર્થીઓ એક સાથે ભેગા ન થાય. કોરોનાનાં કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવતું હતું. પરંતુ આજથી શાળાઓ ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવામાં જે સમસ્યાઓ થતી હતી.
Read About Weather here
તે હવે દૂર થતા વિદ્યાર્થીઓ આજે શરૂ થતી ઓફલાઈન શાળાઓમાં ઉત્સાહ બતાવ્યો. ધો-10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે સોમ, બુધ અને શુક્રવાર અને ધો-9 અને 11નાં વિદ્યાર્થીઓ માટે મંગળ, ગુરૂ અને શનિવારે શાળા ચાલુ રહેશે. કુલ વિદ્યાર્થીઓનાં 50 ટકા કેપીસીટી સાથે એક ક્લાસરૂમમાં બેથાક્લ વ્યવસ્થા કરવામાં આવી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here