મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે વિવિધ સ્તરે વાટાધાટો થવી જરૂરી
અફઘાનિસ્તાનની સ્થિરતા અને અવિરત વિકાસ માટે સર્વગ્રાહી સરકારની રચના પર ભાર મુકતા રશીયાના રાજદૂત નિકોલાઇ ઉદાસેવે એવી ભીતી વ્યકત કરી હતી
Visit Saurashtra Kranti Homepage here
કે, અફઘાનિસ્તાનમાંથી વિખેરાઇ ગયેલા ત્રાસવાદીઓનું માળખું કાશ્મીરમાં પ્રવેસી શકે છે અને ત્રાસવાદી રશીયા સુધી પણ પહોંચી શકે છે.
તેમણે ભારત અને રશીયા વચ્ચે આતંકવાદના મામલે વિવિધ સ્તરે વાટાધાટો અને સહયોગ પર ભાર મુકયો હતો.
રશીયાના દુતે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ ભારત અને રશીયાની ભુમી પર ન પહોંચે એ માટે રશીયા ભારત સાથે ગાંઢ સંપર્કમાં છે.
કેમ કે, આતંકવાદને લાગે વળગે છે ત્યા સુધી અમે ભારતની ચિંતામાં સુર પુરાવીએ છીએ. આતંકનો ખતરો જરૂર ઉભો થયો છે. એટલે અફઘાનિ ભુમી પર સર્વ વ્યાપી સરકાર રચાય તે જરૂરી છે.
ભારતે અને રશીયાએ સતત સંપર્ક ચાલુ રાખવા જોઇએ. સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી કક્ષાએ સતત સંવાદ થતો રહેવો જોઇએ. તેમણે કહયું હતું કે, અફઘાનિસ્તાનમાં સ્થિરતા જળવાઇ
અને આંતરરાષ્ટ્રીય સમાજ સ્વીકારે એવી સરકાર રચાય એ જોવા માટે મોસ્કો ચિંતીત છે.
Read About Weather here
અફઘાનિ પરીવારને શાંતી, સ્થિતરતા અને વિકાસની જરૂર છે. ભારત અને રશીયા પણ અફઘાનિસ્તાન સાથે મૈત્રીના સંબંધો રાખવા માટે આતુર છે આ ખુબ જ પાયાના મુલ્યો છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here