કેવી કરુણતા છે કે આ દેશના કૃષિમંત્રીને દાળના કિલોના ભાવની જ ખબર નથી! કૃષિમંત્રી સુર્યપ્રતાપ શાહીએ મીડીયા સાથે વાતચીતમાં દાળની કિંમતોને લઈને ઉઠેલા સવાલના જવાબમાં તેમણે દાળો કર્યો હતો કે 100 રૂપિયા કિલોથી વધુ ભાવ દાળના નથી, જયારે સવાલ ફરીવાર પુછાયો તો મંત્રી જવાબ આપવાનું ટાળ્યું હતું.
![વાહ સરકારી બાબુઓ વાહ…! કૃષિમંત્રી સુર્યપ્રતાપ શાહીને ખબર જ નથી કે એક કિલો દાળના શું ભાવ છે : લોકોએ કરી ટિકા સુર્યપ્રતાપ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
દાળની કિંમતોને લઈને કૃષિમંત્રીના દાવાને લઈને સોશ્યલ મીડીયામાં તેમની ટિકા થઈ રહી છે. કૃષિમંત્રીએ મીડિયાને કહ્યું હતું. દાળના કિલોના ભાવ 200 રૂપિયા નથી, તમે ખોટી માહિતી આપો છો. દાળની કિંમત કિલોના 100 રૂપિયાથી વધુ નથી. જયારે સવાલ ફરી પૂછવામાં આવ્યો તો મંત્રીએ હસીને જવાબ આપવાનું ટાળ્યું હતું.
![વાહ સરકારી બાબુઓ વાહ…! કૃષિમંત્રી સુર્યપ્રતાપ શાહીને ખબર જ નથી કે એક કિલો દાળના શું ભાવ છે : લોકોએ કરી ટિકા સુર્યપ્રતાપ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સમાજવાદી સાંસદ લાલજી વર્માએ એકસ પર કૃષિમંત્રીનો વિડીયો પોસ્ટ કરીને તેમને ઘેરીને કહ્યું હતું કે કૃષિમંત્રી કોઈ બીજા ગૃહમાં રહે છે, એટલે તેમને દાળના ભાવની ખબર નથી. જો કે વાત બગડતા કૃષિમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે અમારું કામ કૃષિમંત્રી તરીકે ઉત્પાદન વધારવાનું છે.
Visit Saurashtra Kranti E-paper here