ક્ષત્રિય આંદોલન…વિષે પ્રશ્ન પુછવાનો પ્રયાસ થયો ત્યારે પ્રશ્ન પૂરો થતા પૂર્વે જ તે હાથ જોડીને કશુ બોલ્યા વગર ઉભા થઈ ગયા
લોકસભા ચૂંટણીનું રાજકોટ બેઠકનું પરિણામ ગઈકાલે સાંજે જાહેર થયું.બપોરે જ ટ્રેન્ડ પરથી પરિણામ નક્કી થઈ ગયું હતું ત્યારે પરશોત્તમ રૂપાલાએ કાર્યકરોની મહેનત અને સંતોના આશિર્વાદથી જીત મળ્યાનું કહ્યું ત્યારબાદ તેમને ક્ષત્રિય આંદોલન…વિષે પ્રશ્ન પુછવાનો પ્રયાસ થયો ત્યારે પ્રશ્ન પૂરો થતા પૂર્વે જ તે હાથ જોડીને કશુ બોલ્યા વગર ઉભા થઈ ગયા હતા.
અહીં ઉલ્લેખનીય સાથે આશ્ચર્યજનક એ છે કે રૂપાલા દ્વારા કરાયેલી ક્ષત્રિયો વિશે વિવાદિત ટિપ્પણી બાદ આ વખતે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો રૂપાલા જ બની ગયા હતા અને તેમનો ક્ષત્રિયો તેમજ રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ તેમજ આંદોલનો કરવામાં આવ્યા હતા.પરંતુ તેની તેમની સામેના વિરોધની અસર નહીંવત રહી અને રૂપાલાનો જોરદાર તેમજ જંગી બહુમતી સાથે વિજય થયો. તેમની સામે ઊભેલા ક્ષત્રિયોના માનેલા ભાઈ એવા કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીનો પરાજય થયો હતો.
રૂપાલાએ ભવ્ય જીત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે રાજકોટના વિકાસમાં તેઓની સક્રિય ભૂમિકા રહેશે તેવો મતદારોને એવો વિશ્વાસ પણ આપ્યો હતો. જ્યારે હાર સ્વીકારી લેનાર કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે હાર જીત અલગ બાબત છે પણ અમે લડત આપી છે, મતદારોએ જીત નથી આપી પણ મત આપ્યા છે અને તેઓ રાજકોટના મતદારોના પ્રશ્ને અવાજ ઉઠાવતા રહેશે.