ગત જુલાઈમાં ભારે હિંસા અને લૂંટફાટમાં 330 ભારતીયોએ જાન ગુમાવ્યો, ભારત ચુપ કેમ?
જામેલા ધંધા રોજગાર છોડીને બિનનિવાસી ભારતીયોની મોટા પાયે વતન વાપસીની તૈયારી
મોટા ભાગની હિંસામાં ડરબન અને જોહાનીસબર્ગના ભારતીયો સિતાર બન્યા
દક્ષિણ આફ્રિકામાં ગયા જુલાઈ માસમાં પહેલી ભારતીય નાગરીકો વિરોધી ભયાનક હિંસા આગજની લૂંટફાટની ઘટનાઓથી આફ્રિકા ખંડમાં એકથી બે સદી કરતા વધુ સમયથી રહેતું ભારતીય સમાજ ભયભીત બની ગયો છે. આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે જુલાઈની હિંસામાં 330 જેટલા મૂળ ભારતીય નાગરિકોએ જાન ગુમાવ્યો હતો.
છતાં આપણા દેશમાં જોઈએ તેવા પડઘા પડ્યા નથી અને ભારત સરકાર પણ ચુપ રહી છે. હવે ત્યાંના ભારતીયો ધંધા-રોજગાર મુકીને ભય પ્રેરિત હિજરત કરવાની અને આફ્રિકાથી ઉચાળા ભરી જવાની તૈયારીઓમાં લાગી ગયા છે. સેંકડો ભારતવાસીઓએ ભારત નાગરીકત્વ કાર્ડ મેળવવા માટે અરજીઓ કરી છે. કેમકે હજુ ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક છે.
Visit Saurashtra Kranti Homepage here
![દક્ષિણ આફ્રિકામાં કાળીયાઓનો કાળો કેર, મૂળ ભારતીયો ઉપર ભયાનક દમનની ગાથા આફ્રિકા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સૌથી વધુ હિંસા જ્યાં થઇ હતી એવા ક્વાઝુલું નેટલ તથા ગૌટેંગ પ્રાંતોમાં હજુ ભારેલા અગની જેવી પરિસ્થિતિ છે. પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જેકબ ઝૂમાની ધરપકડને પગલે આફ્રિકાની ઈતિહાસની સૌથી ભયાનક હિંસા થઇ હતી અને શિકાર મોટાભાગે ભારતીય નાગરિકો તથા વેપારીઓ બન્યા હતા. ડરબનમાં રહેતા એન.આર.આઈ અને કાર્યકર કે.રમણે જણાવ્યું હતું કે, ભારતીયોની વસ્તી વધુ છે એવા પ્રાંતમાં ધમકી ભર્યા સંદેશા ચારે તરફ ફરી રહ્યા છે.
ભારતીયોને દેશ છોડી જવા નહીંતર જુલાઈ ભાગ-2 નો સામનો કરવા ચોખ્ખી ધમકી આપવામાં આવી રહી છે. રમણે કહ્યું હતું કે, અમે અમારા પરીવારોનું રક્ષણ કરવા માંગીએ છીએ. ગત તા.9 જુલાઈથી બે સતા સુધી મૂળ આફ્રિકી હબશી નાગરિકોએ ભયાનક તોફાનો કર્યા હતા.
![દક્ષિણ આફ્રિકામાં કાળીયાઓનો કાળો કેર, મૂળ ભારતીયો ઉપર ભયાનક દમનની ગાથા આફ્રિકા](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બે સતામાં જ 330 લોકોનો ભોગ લેવાયો હતો. જેમાના મોટા ભાગના ભારતીયો હતા. ભારતીયોની દુકાનો, શોપિંગ મોલમાં બેફામ લૂંટ ચલાવવામાં આવી હતી. ભયાનક હિંસાને દાબવા બે સપ્તાહનાં ગાળા બાદ આફ્રિકી પ્રમુખ સિરિલ રામાફોસાએ લશ્કર મોકલ્યું હતું. ત્યાં સુધીમાં તો ભારતીયો બરબાદ થઇ ગયા હતા.ભારતીય દૂતાવાસમાં સેંકડો લોકોએ અરજીઓ કરી છે અને વતન પરત ફરવા માંગે છે.
Read About Weather here
મૂળ બિહારમાંથી ડરબન જઈને વસેલા પરીવારનાં કૃષ્ણ જગ્ગન્નાથએ જણાવ્યું હતું કે અમને હિંસાનાં બીજા રાઉન્ડની બીક છે. આ શહેરમાં જ વસતા મહાત્મા ગાંધીજી નાં પ્રપૌત્રી ઈલા ગાંધીએ જણાવ્યું હતું કે, અમે રંગભેદને ભુલાવી લોકોને એક કરવા અને શાંતિ તથા શુભેચ્છાનો સેતુ રચવા માટે પ્રયત્નશીલ છીએ. પણ ભારતીય નાગરીકો એકદમ અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે કેમકે સ્થાનિક નાગરિકો ત્યાંથી કેવી રીતે હુમલો કરે એ અમે જાણતા નથી.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here