કાલેે દેશનો 75મો આઝાદી દિન, ઉજવણીનો ઠેરઠેર વિસ્ફોટ

કાલેે દેશનો 75મો આઝાદી દિન, ઉજવણીનો ઠેરઠેર વિસ્ફોટ
કાલેે દેશનો 75મો આઝાદી દિન, ઉજવણીનો ઠેરઠેર વિસ્ફોટ

સ્વતંત્રા દિવસની અતિ ભવ્ય અને ભારતની શાન સમાન પરેડ યોજાશે, ઓલિમ્પિક ખેલાડીઓ ખાસ મહેમાન

દિલ્હી થી કાશ્મીર સુધી એલર્ટ જાહેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકિલ્લા પર તિરંગો ફરકાવશે, રાષ્ટ્ર જોગ પ્રવચન: સમગ્ર દિલ્હીમાં ઇમારતોનો તિરંગા રોશની શણગાર, મુંબઇ સહિતના મહાનગરો અને દેશભરમાં ઇમારતોની ભવ્ય શણગાર, રંગમાં ભંગનું આતંકી કાવતરૂ

આવતીકાલે રવિવારે દેશનો 75મો આઝાદી દિન આન-બાન અને શાન સાથે મનાવવા એકે એક ભારતવાસી થનગની રહયો છે અને આઝાદી દિનની પૂર્વ સંધ્યાથી જ દેશભરમાં ઉજવણીનો મહાવિસ્ફોટ શરૂ થઇ ગયો છે. આવતીકાલે વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને સાથે સાથે દેશને સંબોધન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આતંકવાદી સંગઠનોએ દિલ્હી અને કાશ્મીરમાં આઝાદી પર્વની ઉજવણીના રંગમાં ભંગનું કાવતરૂ ઘડયાનું બહાર આવતા કિલ્લે બંધી જેવી લોખંડી સુરક્ષા વ્યાસ્થા કરવામાં આવી છે.

આ વખતે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા અને ચંદ્રક જીતનારા ભારતીય રમતવીરો આઝાદી દિનના મુખ્ય કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. દેશની આર્થીક, સામાજીક અને લશ્કરી તાકાત થતા વયવિદ્યની દર્શન કરાવતી અભુતપૂર્વ પરેડ પરંપરા મુજબ રાજપથ પર યોજાશે જેની વડાપ્રધાન સલામી જીલશે.

દેશભરમાં સ્વતંત્રાતા 75 વર્ષ પુરા થવાના મહાન અવસરની ઉજવણી માટે ઠેર-ઠેર કુલ 1800 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘જન ઉત્સવ જન કે દ્વાર’ વિષય પર આધારીત કાર્યક્રમો સાથે તમામ રાજયો અને કેન્દ્રો શાસીત પ્રદેશોમાં ભવ્ય અને ઠાઠમાઠ ભરી ઉજવણી કરશે.

તમામ પંચાયતો અને રાજયકક્ષાએ યોજાનારા કાર્યક્રમોમાં સ્થાનિક આઝાદી વિરોના પરાક્રમોની લોકોને ઝાંખી કરાવવામાં આવશે. 1800 કાર્યક્રમોનો વિસ્ફોટ 2 દિવસ પહેલાથી જ શરૂ થઇ ગયો છે. વડાપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદધાટન કર્યુ હતું. સુચક રીતે આ કાર્યક્રમ ગાંધી બાપુના સાબરમતી આશ્રમમાં યોજાયો હતો. આખા વર્ષ સુધીના કાર્યક્રમો નક્કી કરી નાખવામાં આવ્યા છે.

આઝાદીના 75માં વર્ષના કુલ 2128 કાર્યક્રમો કેન્દ્ર સરકાર કરી ચુકી છે અને રાજયો 819 કાર્યક્રમો અત્યાર સુધીમાં કરી ચુકયા છે હજુ આગામી દિવસોમાં રાજયથી ગ્રામ્યપંચાયત કક્ષા સુધી વિધવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્થાનિક વિરો, ક્રાંતીકારીઓ અને સામાજીક કાર્યકરોના જીવન અને કવનને રજૂ કરવામાં આવશે.

ઇતિહાસના પાનાઓ પરથી ગાયબ કરી દેવામાં આવેલા આવા 150 મહાનુભાવોની યાદી અને આઝાદી વિરોના નામો ઓલ ઇન્ડિયા રેડિયોએ નક્કી કરી લીધા છે. જેમના પરાક્રમોની ગાથા દેશવાસીઓને સંભળાવવામાં આવશે. આવા સેંકડો કાર્યક્રમોનું ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારણ કરવામાં આવશે. સાથે સાથે વર્તમાન નરેન્દ્ર મોદી સરકારના 75 લોકલક્ષી કાર્યક્રમોનું પ્રસારણ કરીને જનતાને વાકેફ કરવામાં આવશે.

નિશાન વિષયના નામે બે રાષ્ટ્રીય કક્ષાની કવીઝ સ્પર્ધા યોજાશે જેમાં આઝાદી ચળવળને લગતી 75 ઐતિહાસીક ઘટનાઓ અંગેના પ્રશ્ર્નો પુછવામાં આવશે એટલુ જ નહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઇ પટેલ અને બી.આર. આંબેડકરના ઐતિહાસીક પ્રવચન પર સંભળાવવામાં આવશે.

Read About Weather here

દેશભરમાં 2 દિવસથી સરકારી અને ખાનગી ઇમારતોને રોશનીથી ઝળાળળા કરી નાખવામાં આવી છે. રાજધાની નવિ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોલકત્તા, ભોપાલ, જયપુર, અમદાવાદ સહિતના મહાનગરોમાં સરકારી ઇમારતોને તિરંગાના રંગ સાથે રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગર અને શહેરોમાં ઇમારતોને તિરંગા રોશનીનો અભુતપૂર્વ શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે રોશનીથી જાણે દિવસ ઉગ્યો હોય તેવું વાતાવરણ સર્જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here