તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળી શકે છે.
![સરકારી કર્મચારીઓનું બજેટ ખોરવાસે…કર્મચારીઓ પર વરસશે સરકાર : મકાન ભાડા ભથ્થામાં વધારો કરવા વિચારણા સરકાર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
હકીકતમાં રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના મકાન ભાડાના ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. મોંઘવારી ભથ્થામાં વધારો કર્યાં બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સરકારી કર્મચારીઓના મકાન ભાડા ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. આ બાબતે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
![સરકારી કર્મચારીઓનું બજેટ ખોરવાસે…કર્મચારીઓ પર વરસશે સરકાર : મકાન ભાડા ભથ્થામાં વધારો કરવા વિચારણા સરકાર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગત સપ્તાહે જ ગુજરાત સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્માચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી-2024ના હિસાબથી મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો આપવાની જાહેરાત કરી હતી. આ રકમ 3 હપ્તામાં ચૂકવવાનું નક્કી થયું છે.
![સરકારી કર્મચારીઓનું બજેટ ખોરવાસે…કર્મચારીઓ પર વરસશે સરકાર : મકાન ભાડા ભથ્થામાં વધારો કરવા વિચારણા સરકાર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જે માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું એરિયર્સ જુલાઈ મહિનાનો પગાર ઓગસ્ટમાં આવશે, તેમાં ચૂકવવામાં આવશે. જ્યારે માર્ચ-એપ્રિલનો બીજો હપ્તો સપ્ટેમ્બર મહિનામાં અને ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનામાં ચૂકવવામાં આવશે. આમ આ 6 મહિનાના એરિયર્સ પેટે 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શરનર્શને 1,119 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
Visit Saurashtra Kranti E-paper here