![રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત... રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત...](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8 જુલાઈના રોજ મણિપુર અને આસામના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેઓ બંને રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે. મણિપુર કોંગ્રેસના પ્રમુખ કે. મેઘચંદ્રના જણાવ્યા અનુસાર રાહુલ પહેલા દિલ્હીથી સિલચર અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે.
![રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ ત્રીજી મુલાકાત હશે. આ પહેલા રાહુલે જાન્યુઆરી 2024માં મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી મોઇરાંગ અને ચુરાચંદપુરમાં બનેલા રીલીફ કેમ્પોની મુલાકાત લેશે . તેઓ અહીં પીડિતોને મળશે અને તેમની ખબર-અંતર પૂછશે. પ્રદેશ કોંગ્રેસ અનુસાર, રાહુલ રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લઈ શકે છે અને હિંસા પ્રભાવિત પરિવારોને મળી શકે છે.
![રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આસામની મુલાકાત દરમિયાન રાહુલ કચર જિલ્લાના સિલચરમાં કુંભીગ્રામ એરપોર્ટ પર રોકાશે. અહીંથી તે લખીપુરમાં પૂર રાહત શિબિરમાં જશે અને ત્યાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાત કરશે. આ શિબિર એ માર્ગ પર છે જ્યાંથી રાહુલ ગાંધી મણિપુરના જીરીબામ જિલ્લામાં પહોંચશે.
![રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આસામમાં પૂરથી 28 જિલ્લાના લગભગ 22.70 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં કુલ 78 લોકોના મોત થયા છે.
Visit Saurashtra Kranti E-paper here