મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાની ચૂંટણી હારથી ગભરાઇ ગયા: ભાજપ

mamta-benerjee-accident
mamta-benerjee-accident

સહાનુભૂતિ મેળવવા માટે રાજકીય ઢોંગ છે: કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામમાં ઘાયલ થયા. તેમનો આરોપ છે કે ભાજપે તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું છે. જો કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓનું કહેવું છે કે મમતા જુઠ્ઠું બોલી રહૃાા છે. આ પાર્ટીઓનું કહેવું છે કે મમતાને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પોતાની હાર દેખાય રહી છે, આથી તેઓ મતદાતાઓ પાસેથી સહાનુભૂતિ મેળવવા માટે ઢોંગ કરી રહૃાા છે.

મમતા બેનર્જી પર સૌથી મોટો પ્રહાર પશ્ર્ચિમ બંગાળના મોટા કોંગ્રેસી અને લોકસભામાં પાર્ટી સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો. તેમણે કહૃાું કે આ સહાનુભૂતિ મેળવવા માટે રાજકીય ઢોંગ છે. તેમને (મમતા ને) લાગ્યું કે નંદીગ્રામમાં જીતવું મુશ્કેલ છે તો તેમણે ચૂંટણી પહેલાં જ આ નાટક રચ્યું છે. તેઓ માત્ર મુખ્યમંત્રી જ નહીં પોલીસ મંત્રી પણ છે. શું તમે વિશ્ર્વાસ કરી શકશો કે પોલીસ મંત્રીની સાથે એક પણ પોલીસ નહોતા?

બીજીબાજુ ભાજપ પણ કેટલાંક પ્રત્યક્ષદર્શીના હવાલે આખા ઘટનાક્રમને મમતાનો ઢોંગ જ ગણાવે છે. પ્રદેશ ભાજપના ટ્વિટર હેન્ડલ પરથી પ્રત્યક્ષદર્શીઓના નિવેદન ટ્વીટ કરાયા છે જેમાં કહેવાય છે કે મમતા બેનર્જીને કોઇએ ધક્કો માર્યો નથી. ભાજપે આ નિવેદનની સાથે પ્રશ્ર્ન કર્યો કે શું હાથમાંથી નીકળી ગયેલ (ચૂંટણી) લડાઇમાં સહાનુભૂતિ મત મેળવવાની કોશિશ છે?

પાર્ટીનો દાવો છે કે મમતા નંદીગ્રામમાં પોતાની ચૂંટણી હારની આશંકાથી ગભરાઇ ગયા છે. તેમનો વિશ્ર્વાસ ડગમગી ગયો છે. જો કે મુખ્યમંત્રીનું કહેવું છે કે આ બધું ભાજપના ષડયંત્રનો હિસ્સો છે. આ બધું જાણીજોઇને કરાયું છે.

ભત્રીજા અભિષેકનો દાવો- હારશે ભાજપ

મમતાના સાંસદ ભત્રીજા અભિષેક બેનર્જીએ હોસ્પિટલમાં દાખલ ‘દીદીની તસવીરની સાથે ટ્વીટ કરી છે, ભાજપના લોકો, તમે પોતે જ બંગાળની પ્રજાની તાકાત રવિવાર, ૨ મેના રોજ જોઇ લેજો. તૈયાર રહો.