ઉત્તર પ્રદેશના હાથરસ અકસ્માત બાદ હવે મધ્ય પ્રદેશમાં પોલીસ પ્રશાસનના શ્વાસ ફૂલ્યા છે. તેનું કારણ છે વિખ્યાત કથા વાંચક ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ. 4 જુલાઈએ છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શસ્ત્રીનો જન્મોત્સવ મનાવવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. બાબાના ભક્તોની અપાર ભીડને જોતા પોલીસ પ્રશાસને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે અને આસપાસના 4 જિલ્લાઓની ફોર્સ બોલાવી છે.
![ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લાખો લોકો બાગેશ્વર ધામમાં ઉમટ્યા … ધીરેન્દ્ર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
છતરપુરના SSP આગમ જૈને બતાવ્યું કે, બાગેશ્વર ધામમાં 250-300 કરતા વધુ પોલીસબળ લગાવી દેવામાં આવ્યું છે. તેની સાથે જ એક્સ્ટ્રા પોલીસ બળ પણ અન્ય જિલ્લાઓમાંથી બોલાવવામાં આવ્યું છે. તેમાં પડોશી જિલ્લા રીવા, પન્ના, ટીકમગઢ અને સાગરનું પોલીસ બળ પણ સામેલ છે. પોલીસ જવાન બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શસ્ત્રીના જન્મોત્સવ કાર્યક્રમમાં સુરક્ષાની વ્યવસ્થા જોશે. તેની સાથે જ બાગેશ્વર ધામની વાત કરીએ તો ત્યાં આયોજકો તરફથી મંચ પણ સજાવી લેવામાં આવ્યું છે.
![ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લાખો લોકો બાગેશ્વર ધામમાં ઉમટ્યા … ધીરેન્દ્ર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જન્મોત્સવ કાર્યક્રમના પોસ્ટર અને બેનર એક દિવસ અગાઉ જ લગાવી દીધા હતા. એટલું જ નહીં, જ્યાં જન્મોત્સવ કાર્યક્રમ થવાનો છે એ ટિનસેટમાં હજારો ભક્તોએ જગ્યા રોકી લીધી છે. પોલીસ અને પ્રશાસન સામે બાગેશ્વર ધામમાં ભીડને કંટ્રોલ કરવી મુશ્કેલ છે. બાગેશ્વર બાબાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે બધા ભક્તોને ઘરે રહીને જ જન્મોત્સવ માનવવાની અપીલ કરી છે, છતા તેમના જન્મોત્સવ અગાઉ જ બાગેશ્વર ધામમાં લોકોની ભીડ ઉમટી છે અને દિલ્હી-મુંબઈ સુધી જન્મોત્સવના અવસર પર બાબાની એક ઝલક જોવા આતૂર થઈ રહ્યા છે.
![ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લાખો લોકો બાગેશ્વર ધામમાં ઉમટ્યા … ધીરેન્દ્ર](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ધીરેન્દ્ર શાસ્ત્રીનું આખું નામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે. તેઓ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લા સ્થિત બાલાજી મંદિરના મુખ્ય પૂજારી છે અને સભાઓમાં ધાર્મિક કથાઓનું વાંચન કરે છે. તેમનો જન્મ 4 જુલાઇ 1996ના રોજ છતરપુર જિલ્લાના ગઢા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી થયું છે. શાસ્ત્રી કથાઓ સાથે પોતાનો દિવ્ય દરબાર લગાવવ માટે જાણીતા છે. આ દરબારમાં બાગેશ્વર ધામ મહારાજ લોકોના અંતર્મનની વાત જાણવા અને તેમની સમસ્યાઓનું નિદાન કરવાનો દાવો કરે છે.
Visit Saurashtra Kranti E-paper here