નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ દેશમાં હવે 100 જેટલા મદરેસાઓમાં ગીતા અને રામાયણના પાઠ ભણાવવામાં આવનાર છે. નેશનલ ઇન્ટીટયુટ ઓફ ઓપન સ્કુલીંગ દ્વારા ભારતીય પરંપરા અંગેના 15 વિષયોનો ખાસ અભ્યાસ ક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક કક્ષાથી એટલે કે, ધો.3, 5 અને 8માં ભારતીય પરંપરાના વિષયો મુજબ જ્ઞાન આપવામાં આવશે. પરંપરાગત વિષયોમાં વેદ અભ્યાસ, યોગા, સંસ્કૃત, રામાયણ અને મહાભારત, ભગવતગીતા, મહેશ્ર્વર સુત્રો, વિજ્ઞાન અને વ્યવસાઇ કૌશલ્ય તાલીમનો સમાવેશ થાય છે. તેમ કેન્દ્રના શિક્ષણ મંત્રી ડો. રમેશ કોખરીયાલે જણાવ્યું હતુેં મદરેસામાં ભણતા મસ્લિમ વિદ્યાર્થીઓને પણ આ વિષયોનો લાભ મળશે.
Home Latest