ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા પછી પહેલા જાહેર કાર્યક્રમ માટે વારાણસી આવેલા વડાપ્રધાન મોદીએ પોતાને ત્રીજી વાર સાંસદ બનાવવા બદલ લોકોનો આભાર વ્યકત કરતા કહ્યું કે માતા ગંગાએ મને ખોળે બેસાડયો છે એટલે હવે હું અહીંનો બનીને રહી ગયો છું.
![‘દુનિયાના દરેક ડાઇનીંગ ટેબલ ઉપર ભારતનું કોઇ અનાજ હોવું જોઇએ':પી.એમ મોદી ડાઇનીંગ ટેબલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
તેમણે મેહેંદીગંજમાં ખેડૂત સંમેલનને સંબોીધત કરતા કહ્યુ઼ ‘‘મારૂ સપનું છે કે દુનિયાના દરેક ડાઇનીંગ ટેબલ ઉપર ભારતનું કોઇ અનાજ અથવા ડ્રાયફ્રુટ હોવું જોઇએ. આવનારા સમયમાં જાડા ધાનની ઉપજ અને ઔષધિય ગુણોવાળા ખાદ્યાન્ન પર આપણું ફોકસ રહેશે. માતાઓ-બહેનો વગરની ખેતીની કલ્પના અસંભવ છે.”
![‘દુનિયાના દરેક ડાઇનીંગ ટેબલ ઉપર ભારતનું કોઇ અનાજ હોવું જોઇએ':પી.એમ મોદી ડાઇનીંગ ટેબલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વડાપ્રધાને કિસાન સંમેલનમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૧૭ મો હપ્તા જાહેર કર્યો. તેમણે ખેડૂતોના ખાતામાં ર૦ હજાર કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કર્યા. પીએમ. કિસાન સમ્માન નિધિનો ૧૬ મો હપ્તો ર૮ ફેબ્રુઆરીએ ચૂકવાયો હતો. દેશભરના કરોડો ખેડૂતોને ૧૭માં હપ્તાનો ઇંતેઝાર હતો.
![‘દુનિયાના દરેક ડાઇનીંગ ટેબલ ઉપર ભારતનું કોઇ અનાજ હોવું જોઇએ':પી.એમ મોદી ડાઇનીંગ ટેબલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here