ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ ૧૨૦૦ જેટલા એકાઉન્ટ હટાવવા હુકમ

ટ્વીટર યુઝ કરવા પર હવે ચાર્જ ચુકવવો પડશે
ટ્વીટર યુઝ કરવા પર હવે ચાર્જ ચુકવવો પડશે

મોદી સરકારનો ટ્વિટરને આદેશ

ખેડૂત આંદોલનની આડમાં ભારતમાં હિંસા અને અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિદૃેશથી સતત ટ્વિટ થઇ રહૃાા છે. જેની અંદર સેંકડો ટ્વિટ પાકિસ્તાની અને ખાલિસ્તાની સમર્થક ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવી રહૃાા છે. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતની એકતા અને અખંડતા માટે જોખમી ૧૧૭૮ એકાઉન્ટની માહિતિ ટ્વિટરને સોંપી છે અને તેના ઉપર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

સૌથી આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે ટ્વિટરના સીઇઓ જૈક ડોર્સી દ્વારા પણ આવા ટ્વિટને લાઇક કરવામાં આવી રહૃાા છે. મંત્રાલય દ્વારા આવા એકાઉન્ટની યાદી ચાર ફેબ્રુઆરીના દિવસે જ ટ્વિટરને સોંપી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી ટ્વિટર દ્વારા તેમના ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પહેલા ૩૧ જાન્યુઆરીના દિવસે પણ સરકારે ટ્વિટર ઉપરથી ૨૫૭ એકાઉન્ટને બ્લોક કરવા માટે કહૃાું હતું. જો કે તે સંબંધમાં પણ હજુ સુધી ટ્વિટરે કોઇ કાર્યવાહી કરી નથી. આ તમામ ૨૫૭ એકાઉન્ટ ફાર્મર જેનોસાઇડ હેશટેગ સાથે થયેલી ટવિટ સાથે જોડાયેલા છે. ટ્વિટર દ્વારા આવા હેન્ડલ પર કાર્યવાહી કરવાની જગ્યાએ તેને અભિવ્યક્તિની આઝાદી ગણાવી છે.

ટ્વિટરના આવા વર્તન સામે હવે સરકાર કાર્યનાહી કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો સરકારના આ નિર્દેશો ટ્વિટરને યોગ્ય નથી લાગતા તો કંપની સરકારને અદાલતમાં પડકારી શકે છે. પરંતુ ટ્વિટર તરફથી હજુ સુધી સરકારને અદાલતમાં કોઇ પડકાર આપ્યો નથી. સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે સરકારે આઇટી એક્ટના સેક્શન ૬૯એ અંતર્ગત આ બધા નિર્દેશ કર્યા છે. કારણ કે ટ્વિટરના કારણે આંદોલનને લઇને ખોટી માહિતિનો પ્રસાર કરી રહૃાું છે.