રાજયના જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો કરવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. જો કે, આ સામે જુનીયર ડોકટર એસોસીએશને વિરોધ કરીને આંદોલન કરવાનું જાહેર કર્યુ છે.
![જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થશે : સરકાર સંમત ડોકટરો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સૂત્રોના કહેવા પ્રમાણે જુનીયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો 15 દિવસમાં લાગુ કરવાની બાંહેધરી રાજય સરકારે આપી છે. એસોસીએશને અગાઉ 11 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપીને એવી ચેતવણી આપી હતી કે સરકાર સ્ટાઈપેન્ડમાં વધારો જાહેર નહીં કરે તો આંદોલન શરૂ કરાશે.
![જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થશે : સરકાર સંમત ડોકટરો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સરકારના નિયમો પ્રમાણે રેસીડન્ટ તબીબોના સ્ટાઈપેન્ડના દર વર્ષે વધારો કરવાનો હોય છે. છેલ્લે 1 એપ્રિલ 2021થી વધારો કરાયો હતો. આ વર્ષે માર્ચથી જ નવો વધારો આપવાનો હતો. એસોસીએશને 4થી માર્ચે આવેદનપત્ર આપીને સરકારનું ધ્યાન દોર્યુ હતું.
![જુનિયર ડોકટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થશે : સરકાર સંમત ડોકટરો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એસોસીએશન દ્વારા આરોગ્યમંત્રીને અત્યારસુધીમાં 5થી6 વખત રજુઆત કરવામાં આવી હતી છતાં કોઈ પરિણામ નહી 11 જુલાઈથી આંદોલનનું એલાન કર્યુ હતું. જો કે, આરોગ્યમંત્રીએ ગઈકાલે તબીબ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને પખવાડીયામાં સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારો કરવાની બાંહેધરી આપી હતી.
Visit Saurashtra Kranti E-paper here