છ કરોડ કર્મચારીઓને રાહત: EPFOએ વ્યાજદર યથાવત્ રાખ્યો

૨૦૨૦-૨૧માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર મળતું રહેશે ૮.૫% વ્યાજ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે. જો કે આજે સરકારે ૬ કરોડ પીએફ ધારકોને રાહત આપી છે. જો કે આજે મળેલી બેઠકમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેમ કે હવે તેમને ૮.૫ના દરે વ્યાજ મળતુ રહેશે. જેનાથી EPFના અંદાજે ૬ કરોડ લોકોને રાહત મળશે.

તમને જણાવી દઈએ કે PF વ્યાજ દરને લઈને અનુમાન લગાવવામાં આવી રહૃાુ હતુ કે કોરોના વાઈરસના કારણે લોકોએ કરેલા વધારે ઉપાડ અને જમા રાશીમાં થયેલા ઘટાડાને કારણે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. EPFOએ ૨૦૨૦-૨૧ માટે EPFO ડિપોજિટ પર વ્યાજના દરોને ૮.૫ ટકા ફિક્સ નક્કી કર્યા છે. નોંધનિય છે તે આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ટ્રસ્ટીઓની બેઠક શ્રીનગર ખાતે મળી હતી. જેમા વ્યાજ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦માં EPF પર ૮.૫ ટકા વ્યાજ મળતુ હતું, જો કે ૭ વર્ષમાં સૌથી ઓછુ વ્યાજ છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં EPF પર વ્યાજ ૮.૫ ટકા હતું. ગયા વર્ષે માર્ચમાં EPFOએ વ્યાજને રિવાઈઝ કર્યું હતું. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૯માં EPFO પર ૮.૬૫ ટકા વ્યાજ મળતુ હતું. EPFOએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૮.૫૫ ટકા વ્યાજ આપ્યું હતું. જે આ પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૬માં ૮.૮ ટકા હતુ. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૭માં ૮.૭૫ ટકા હતું. EPFના દૃેશભરમાં ૬ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં પણ આ કરોડો લોકોને રૂઝ્રમાં થયેલી ગડબડીના કારણે વ્યાજ મળવામાં વિલંબ થયો હતો.