દિૃલ્હીના મુખ્યમંત્રી અને આમ આદૃમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવાના લોકોને સત્તામાં આવવા પર વિજળીની 300 યુનિટ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.
તેની સાથે જ કેજરીવાલે કહૃાું કે, પ્રત્યેક ઘરમાંથી એક બેરોજગાર વ્યક્તિને નોકરી આપવામાં આવશે અને કામની શોધમાં બેરોજગાર લોકોને નોકરી ન મળવા સુધી 3000 રૂપિયા માસિક ભથ્થું મળશે. આવતા વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં ગોવા પણ સામેલ છે. કેજરીવાલ ગોવાને લઇ ખૂબ જ આશાવાન છે. આવતા વર્ષે ઘણાં રાજ્યોમાં લોકસભાની ચૂંટણીઓ થવા જઇ રહી છે. જેને લઇ રાજકીય પાર્ટીઓની પ્રચારની તૈયારીઓ જોરશોરમાં ચાલું થઇ ગઇ છે.
ભાજપા અને કોંગ્રેસ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમ આદૃમી પાર્ટી પણ હવે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પોતાની પકડ મજબુત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાતમાં પકડ ધીમે ધીમે મજબૂત થતી જોવા મળી રહી છે. એજ કારણ છે કે રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતમાં એક આખું નવું કેબિનેટ બનાવી દેવામાં આવ્યું. કેજરીવાલની પાર્ટી ગુજરાત ઉપરાંત પંજાબ અને ઉત્તરાખંડમાં પણ મોટી જાહેરાતો કરી ચૂકી છે.
Read About Weather here
સત્તારૂઢ ભાજપા અને કોંગ્રેસ સામે કડી ટક્કર માટે કેજરીવાલે ગોવામાં સાત મોટી જાહેરાતો કરી છે. તેમણે કહૃાું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો ભ્રષ્ટાચાર રોકશે અને રાજ્યના યુવાઓ માટે નોકરીઓ સુનિશ્ચિત કરશે. કેજરીવાલે કહૃાું કે, સ્થાનિય લોકોને ખાનગી નોકરીઓમાં 80 ટકા આરક્ષણ આપવામાં આવશે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here