અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં આગ બેકાબૂ બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં નથી આવી. આજ્ઞા પગલે લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
![દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં ભભૂકી આગ આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા પણ સ્થળ પર છે. કોહીનૂર ક્રીએશન નામની કાપડ કંપનીમાં આગ લાગી છે.ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
![દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં ભભૂકી આગ આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આગ વધુ ભીષણ બનતી જઈ રહી છે. આગ વધુ ફેલાઈ અને હવે રહેણાંક વિસ્તાર તરફ ફેલાઈ રહી છે અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે.સરખેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોના ટોળા દૂર કરી રહી છે.
Visit Saurashtra Kranti E-paper here