જૂનાગઢના પૂર્વ સાંસદ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રીનું ૯૦માં જન્મદિવસે નિધન

જૂનાગઢના પૂર્વ સાંસદ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ કોર્પોરેટર અગ્રણી કેળવણીકાર મો.લા.પટેલનું આજે અવસાન થતાં સમગ્ર જૂનાગઢમાં ઘેરો શોક છવાયો છે. જોગાનુજોગ આજના દિવસે તેમનો જન્મદિવસ પણ હતો.તેઓનો જન્મ ૫-૩-૧૯૩૩ના રોજ ઉપલેટાના કોલકી ખાતે થયો હતો. તેઓની વિદાય પહેલા તેઓ માનવ સેવાની અનોખી સુવાસ પ્રસરાવી ગયા છે.

જુનાગઢ કડવા પટેલ સમાજ માં ધરોહર આધારસ્તંભ સમાન જ્ઞાતિની કરોડરજ્જુ ગણવામાં આવતા મોહનભાઈ લાલજીભાઈ પટેલનું ટૂંકું નામ મો.લા્ પટેલ તરીકે ઓળખાય છે. નાનપણથી જ સમાજસેવાના ભેખધારી હતા. મૂળ કોલકી (ઉપલેટા)ના વતની હતા.જુનાગઢ કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજનું સંગઠન કરી અને જ્ઞાતિ પ્રત્યે ગામડાઓના અભણ માતા-પિતાના બાળકોને શિક્ષણ આપવા પટેલ કેળવણી મંડળ ની સ્થાપના કરી હતી.

આજે કેજીથી લઇને તમામ પ્રકારની કોલેજ સુધીની દીકરીઓ માટે આશીર્વાદરૂપ કામગીરી તેઓ કરી ચૂક્યા છે. તેમજ ૯૦ વર્ષની ઉંમરે તેઓએ દૃુનિયાને અલવિદા કરી દીધું છે. ઉમરની છેલ્લી ઘડી સુધી તેઓ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા હતા, બે વખત સાંસદ રહી રેલવે સહિતના પ્રશ્ર્નો ઉકેલ્યા બાદ ગુજરાત સરકારના મંત્રી પદે રહૃાા હતા, તેમજ ત્યારના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે પણ દૃીકરીઓની યોજનાની તેમની લાગણીને માન આપી અને તેનો અમલ કર્યો હતો.