ગુજરાતમાં હજુ ચોમાસુ જામતુ નથી ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના 30 જિલ્લામાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
![ગુજરાતના 30 તાલુકામાં ચોમાસુ બિરાજ્યું ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો ચોમાસુ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં 37, બોટાદના રાણપુરમાં 22, નવસારીના ચીખલીમાં 20, ઉમરાળામાં 19, પારડીમાં 19, ચુડામાં 19 મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત ભાવનગર-બોટાદમાં 14-14, વાપીમાં 13 મીમી વરસાદ પડયો છે.
![ગુજરાતના 30 તાલુકામાં ચોમાસુ બિરાજ્યું ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો ચોમાસુ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બરવાળા, જેસર, સિહોર જેવા ભાવનગર જિલ્લાના તાલુકામાં ભારે ઝાપટા પડયા હતા. બાબરા, ગઢડા, ઘોઘા, પાલીતાણા, તળાજામાં ઝાપટા વરસ્યા હતા. રાજકોટ જિલ્લાના વિંછીયા, અમદાવાદના ધંધુકા, નડીયાદમાં પણ ઝાપટા પડયાની નોંધ રાજયના કંટ્રોલ રૂમમાં હતી.
![ગુજરાતના 30 તાલુકામાં ચોમાસુ બિરાજ્યું ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો ચોમાસુ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here