ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજની આઇઆઇટીમાં ફરજ બજાવતા બે પ્રધ્યાપક કોરોનામાં સપડાયા હતા જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેવી સ્થિતિમાં આ જ સંસ્થાના ૨૩ વર્ષિય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અહીં રહેતા યુવાનને સામાન્ય તાવ-કફ સહિતની તકલીફ રહેવાને કારણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા આ પોઝિટિવ યુવાનને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.દક્ષિણ ગુજરાતની યાત્રાથી પરત ફરેલા ગાંધીનગર શહેર જિલ્લાના પાંચ યાત્રિકો તબક્કાવાર કોરોનામાં પટકાયા હતા જેમના જીનોમ સિક્વન્શીંગ કરવામાં આવતા આ પોઝિટિવ દર્દીઓ પૈકી ઘણાને જેએન.વન સબ વેરિયન્ટ હોવાનું પણ સામે આવ્યું હતું તેમ છતા આ પાંચેય પોઝિટિવ દર્દીઓએ હોમ આઇસોલેશનમાં રહીને કોરોનાને હરાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર શહેર નજીક પાલજની આઇઆઇટીમાં પ્રોફેસર તરીફે ફરજ બજાવતા એક મહિલા તથા એક પુરુષ પ્રોફેસર બેંગલોરની મુલાકાત બાદ સંક્રમિત થયા હતા આ બન્ને પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે આ સંસ્થામાંથી કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે.
Read National News : Click Here
આ અંગે આરોગ્ય તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,આઇઆઇટી પાલજના ૨૩ વર્ષિય યુવાનને છેલ્લા ઘણા દિવસોથી કફ અને સામાન્ય તાવની તકલીફ રહેતી હતી જેના પગલે ડોક્ટરની સલાહ પ્રમાણે આ યુવાને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેશનમાં રહેવાની પરવાનગી આપી હતી. આ દર્દીને ટ્રાવેલીંગ હિસ્ટ્રી પણ નહીં હોવાને કારણે આરોગ્ય તંત્ર આશ્ચર્યમાં મુકાયું છે.ગાંધીનગર શહેર અને જિલ્લામાં આઇઆઇટીના ત્રણ દર્દીઓ સાથે સેક્ટર-૨૯ની શિક્ષિકા તથા અદાણી શાંતિગ્રામની મહિલા મળીને કુલ પાંચ એક્ટિવ કેસ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here