![અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે... અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે...](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રાજકોટ સહિત ગુજરાતની અનેક દુર્ઘટનાના પીડિતોના આંસૂ લૂછવા તથા ભાજપ કાર્યકરોને મળવા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ એવો હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં ભાજપને હરાવીને જ ઝંપશું. ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતમાંથી જ ઉભી થઇ હતી અને ગુજરાતથી જ પાર્ટીનું નવસર્જન થશે. નરેન્દ્ર મોદીના વિકાસનો ફુગ્ગો ફુટી જવા સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
![અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવીને ગુસ્સો વધારતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાર્ટી કાર્યકરો ક્યારેય ડરવાના નથી. આગામી ચૂંટણી જોમજુસ્સાથી લડીને ભાજપને હરાવશે અને ગુજરાતથી જ પાર્ટીનું નવસર્જન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં ભાજપને માત્ર 17 બેઠકો ઓછી પડી હતી. કોંગ્રેસમાં સંપૂર્ણ લોકશાહી છે અને દરેક નેતા-કાર્યકરને વાત રજુ કરવાની સ્વતંત્રતા છે.
![અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વડાપ્રધાન મોદીના વિકાસના ફુગ્ગો ફૂટી ગયો હોવાનો આક્ષેપ કરતા તેઓએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ નફરતથી નહીં પરંતુ પ્રેમ-મહોબ્બતથી ભાજપને હરાવશે. ભાજપમાં ડર પેસી ગયો છે અને તેના કાર્યકરોમાં પણ દમ નથી. ભાજપના નેતાઓ પણ મોદીને ઇચ્છતા ન હોવાનું કહ્યું હતું.
![અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
અયોધ્યાનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી વાસ્તવમાં વારાણસીના બદલે અયોધ્યાથી લડવાની ઇચ્છા ધરાવતા નથી. અયોધ્યાના ત્રણ સર્વે પણ કરાવવામાં આવ્યા હતા. વારાણસીમાં પણ મોદી માંડ-માંડ જીત્યા હોવાનો કટાક્ષ કર્યો હતો.
![અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ભાજપે અયોધ્યા તથા ભગવાન શ્રીરામ અને મંદિરનું નામ વટાવ્યું હોવાનો આક્ષેપ કરતાં તેઓએ કહ્યું કે રામભૂમિ પર સ્થાનિક લોકોની જમીનો આંચકીને દુકાન-ઇમારતો તોડી નાખવામાં આવી હતી. વળતર પણ અપાયું નથી. પરિણામે સ્થાનિક લોકોમાં ભાજપ સામે રોષ હતો અને એટલે જ અથાગ મહેનત છતાં અયોધ્યાની બેઠક પર ચૂંટણી જીતી શક્યા નહતો.
Visit Saurashtra Kranti E-paper here